દર વર્ષે દિવાળીના તહેવાર નિમિત્તે ધનતેરસના દિવસે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આતશબાજીનો કાર્યક્રમ રાખવામાં આવે છે. ત્યારે આજરોજ રાજકોટ મનપા દ્વારા માધવરાવ સિંધિયા ગ્રાઉન્ડ ખાતે આતશબાજી નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
ત્યારે આ કાર્યક્રમ અન્વયે મોટી સંખ્યામાં રાજકોટ વાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. તો સાથેજ રાજકોટ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. ત્યારે આકાશમાં રંગબેરંગી ફટાકડાઓ ના કારણે આકાશમાં પણ રંગોળી કરવામાં આવી હોય તેવા દર્શયો સામે આવ્યા હતા