કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતનાં બનાસકાંઠા ખાતે પૂર ગ્રસ્ત વિસ્તારની મુલાકાતે આવ્યા હતા, ત્યારે લાલચોક પાસે તેઓના કાફલા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જે અંગે કોંગ્રેસમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, જ્યારે ઘટના અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ કડક કાર્યવહીનાં આદેશ આપ્યા છે.
રાહુલ ગાંધીની કાર પર પથ્થરમારાની ઘટનાને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વખોડી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે.
https://twitter.com/vijayrupanibjp/status/893461363787530240