વાઘોડિયાના દત્તપુરા પાછળ મહિલાના મળી આવેલા કંકાલનો પોલીસે ભેદ ઉકેલાયો

Update: 2019-06-27 09:12 GMT

વાઘોડિયાના દત્તપુરા પાછળ મળી આવેલ મહિલાના કંકાલનો ભેદ ઊકેલવામાં પોલીસને સફળતા મળી છે.

છેલ્લા ઘણા દિવસોથી વી એન એસ ક્વાર્ટસમાંથી એક મહિલા ગુમ થતા સમગ્ર વાઘોડિયા પંથકમાં ભારે તર્ક વિતર્ક સર્જાયા હતા તેમજ સમગ્ર મુદ્દો વાઘોડિયા પંથકમાં ભારે ચર્ચાનો વિષય બનવા પામ્યો હતો. મૃતક મહિલાની પુત્રી મનિષાએ પોતાની માતા ગુમ થયાની ફરિયાદ વાઘોડિયા પોલીસ મથકમાં નોંધાવતા ફરિયાદના આધારે વાઘોડિયા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

સઘન શોધખોળના અંતે ગુમ થયેલી અજાણી મહિલાનો કંકાલ દત્તપુરા પાછળ આવેલા વ્રજનિધી નંદાલયના કંમ્પાઉન્ડ વોલ પાછળથી મળી આવ્યું હતું. અવશેષો મળી આવતા ફોરેન્સી એક્ષપોર્ટ જોડે વડોદરા એસ એસ જી હોસ્પિટલમાં પોલીસે પોસ્ટમોર્ટમ કરાવ્યુ હતું. જેમાં મળી આવેલા અવશેષો મધુબેન દશરથભાઈ વસાવા રહે. કોટાલી, તા. સંખેડા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું.

મધુબેનની હત્યા બાદ મૃતદેહ ઘણા દિવસો સુઘી પડી રહેતા જંગલી પશુએ ફાડી ખાઘો હોવાની આશંકા પણ સેવાઈ રહી છે. જગ્યા પરથી લોહી તેમજ પગને થાપાના હાડકા પોલીસને મળી આવ્યા હતાં. મહિલાની સાડી, મોબાઈલ તેમજ ઘરેણા મળી આવતા મહિલાની ઓળખ થઇ હતી. આડા સંબઘોની પણ હત્યા પાછળ આશંકા સેવાઇ રહી છે. સમગ્ર હત્યાનો ભેદ વાઘોડિયા પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ભગવત સિંહે ઉકેલી આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દિધા હતા.

Similar News