શિવસેનાએ કરવટ બદલી : પીએમ મોદીને ફોન પર તો સોનિયા, મનમોહનને રૂબરૂ આમંત્રણ

Update: 2019-11-28 03:50 GMT

શપથગ્રહણમાં કયા મહેમાનો?

ઉદ્ધવ ઠાકરેના શપથ ગ્રહણ

સમારોહ માટે દેશના અનેક અગ્રણી નેતાઓને આમંત્રણ અપાયું છે. ઉદ્ધવ દ્વારા વડા

પ્રધાન નરેન્દ્ર મોદીને પણ આમંત્રણ અપાયું છે, જોકે તેઓ આવશે કે નહીં તે

અંગે સસ્પેન્સ છે. તે જ સમયે, બુધવારે સાંજે આદિત્ય ઠાકરે નવી દિલ્હીમાં

કોંગ્રેસના વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધી, પૂર્વ વડા પ્રધાન મનમોહન

સિંહને આમંત્રણ આપવા ગયા હતા.

આ સિવાય અરવિંદ કેજરીવાલ, મમતા બેનર્જી, કમલનાથ, અશોક ગેહલોત, રાજ ઠાકરે સહિતના અન્ય

મોટા નેતાઓને પણ આમંત્રણ અપાયું છે.

શપથ કોણ લેશે?

બુધવારે સાંજે એનસીપી, કોંગ્રેસ અને શિવસેનાના

નેતાઓની બેઠક મળી હતી, જેમાં મંત્રાલયો વિશે વાત

કરવામાં આવી હતી. આ સાથે, એ પણ પુષ્ટિ મળી હતી કે

શિવસેનાના ઉદ્ધવ ઠાકરે મુખ્ય પ્રધાન, કોંગ્રેસને વિધાનસભા

અધ્યક્ષ અને એનસીપીને નાયબ મુખ્ય પ્રધાન પદ મળશે. ગુરુવારે ત્રણેય પક્ષના કુલ 2-2

મંત્રીઓ શપથ લેશે.

Tags:    

Similar News