અજય દેવગણ મહાન ફૂટબોલ કોચ સૈય્યદ અબ્દુલ રહીમની બાયોપિકમાં લીડ રોલ નિભાવશે. અબ્દુલ રહીમને ભારતમાં ફૂટબોલના વાસ્તુકાર માનવામાં આવે છે. કોચ તરીકે તેમનો કાર્યકાળ ભારતીય ફૂટબોલ માટે સુવર્ણ યુગ ગણાયછે.
તેમના માર્ગદર્શન હેઠળ ભારતીય ફૂટબોલ ટીમ પહેલીવાર વર્ષ ૧૯૫૬માં મેલબોર્ન ઓલિમ્પિક ફૂટબોલ ટૂર્નામેન્ટની સેમિફાઇનલ સુધી પહોંચી હતી. ફિલ્મનું નિર્માણ બોની કપૂર, આકાશ ચાવલા, જોય સેનગુપ્તા કરી રહ્યા છે.
ભારતીય ઇતિહાસના મહાન વિદ્વાન ‘ચાણક્ય’ પર ફિલ્મ બનાવવાની જાહેરાત થઈ ગઇ છે, જેમાં અજય દેવગણ મુખ્ય ભૂમિકા ભજવશે. આ વાતની જાણકારી ખુદ અજય દેવગણે ટ્વિટર દ્વારા આપી હતી. નીરજ પાંડે દિગ્દર્શિત ફિલ્મનું નિર્માણ રિલાયન્સ એન્ટરટેઇનમેન્ટ કરી છે