અંકલેશ્વર : GIDC વિસ્તારમાં તસ્કરો બન્યા બેફામ, છેલ્લા 4 દિવસમાં ચોરીના બનાવમાં નોંધાયો વધારો

New Update
અંકલેશ્વર : GIDC વિસ્તારમાં તસ્કરો બન્યા બેફામ, છેલ્લા 4 દિવસમાં ચોરીના બનાવમાં નોંધાયો વધારો

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં છેલ્લા 4 દિવસમાં દુકાનો સહિત મકાનોમાં ચોરી થવાની ઘટનામાં વધારો જોવા મળ્યો છે, ત્યારે ગત રાત્રિ દરમ્યાન વધુ એક મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું.

મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ માનવ મંદિર નજીક અગાઉના દિવસોમાં 5 જેટલી દુકાનોના તાળાં તૂટ્યા હતા. જેની શ્યાહી હજી સુકાઈ નથી તે પહેલા જ કોસમડી નજીક ધરતી એપાર્ટમેન્ટ નજીક રહેતા શિવકુમાર સિંઘ નામના વ્યક્તિના બંધ મકાનને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. જેમાં ગત શુક્રવારની મોદી રાત્રે તસ્કરોએ મકાનના આગળ દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો.

ત્યારબાદ લાકડાના કબાટમાં રહેલ 10 હજાર જેટલી રોકડ રકમ તેમજ અન્ય ચીજવસ્તુઓની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ અંગે મકાન માલિકે જીઆડીસી પોલીસ મથકે જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોચી વધુ તપાસ હાથ ધરી હતી. અત્રે નોંધવું રહ્યું કે, ધરતી એપાર્ટમેન્ટ નજીક આવેલ એક રેસિડન્સીમાં પણ 2 દિવસ અગાઉ 4 જેટલા મકાનો તસ્કરના નિશાને ચઢ્યા હતા, ત્યારે હવે પોલીસ દ્વારા નાઈટ પેટ્રોલિંગમાં વધારો કરવામાં આવે તેવી અહીના સ્થાનિકો માંગ કરી રહ્યા છે.