અંકલેશ્વર : માંડવા ગામે મિત્રો બાખડયા 1ની હત્યા 2ને ઈજા

New Update
અંકલેશ્વર :  માંડવા ગામે મિત્રો બાખડયા 1ની હત્યા 2ને ઈજા

અંકલેશ્વર તાલુકાના માંડવા ગામે એક ઘટનામાં 3 મિત્રો બાખડતાં એકની હત્યા થઈ ગઈ હતી. જ્યારે હુમલાખોર બે ભાઈને પણ ગંભીર ઇજાઓ થતા તેઓને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

બનાવની મળતી માહિતી અનુસાર અંકલેશ્વરના માંડવા ગામે રીક્ષા સ્ટેન્ડથી 3 મિત્રો આવી રહ્યા હતા. તે દરમિયાન કોઇ કારણોસર ત્રણે વચ્ચે મારામારીની ઘટના બની હતી. જેમાં બે સગા ભાઈ રાજેશ પટેલ ઉંમર વર્ષ ૩૫ તથા તેનો ભાઈ સુરેશ પટેલ ઉંમર વર્ષ ૩૪ એ અનિલ  પટેલ ઉપર ચપ્પુ વડે હુમલો કરતાં અનિલને છાતી અને પેટના ભાગે ગંભીર ઈજા થતા તેને લોહીલુહાણ અવસ્થામાં સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડતા ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. જેના પગલે મૃતકના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતુ. આ બનાવમાં હુમલાખોર બંને ઈસમોને પણ મોઢાના તથા માથાના  ભાગે ગંભીર ઇજાઓ થઇ હોવાના કારણે તેઓને પણ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બનાવની વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે. ત્રણેય મિત્રો દારૂના નશામાં હોવાનું ચર્ચાય રહ્યું છે.

Latest Stories