અંકલેશ્વર- પાનોલીના ઉદ્યોગકારોની રજૂઆત સાંભળવા સરકારની તૈયારી

New Update
અંકલેશ્વર- પાનોલીના ઉદ્યોગકારોની રજૂઆત સાંભળવા સરકારની તૈયારી

અંકલેશ્વર અને પાનોલીના ઉદ્યોગો જીપીસીબીની બેધારી નિતિના વિરોધમાં અન્ય રાજયોમાં પલાયન થવા તલપાપડ બન્યાં છે ત્યારે સ્થાનિક ઉદ્યોગોને તાળા વાગી જતાં અટકાવવા માટે સરકાર હવે આગળ આવી છે. આગામી દિવસોમાં ઉદ્યોગોના પડતર પ્રશ્નો અને સમસ્યાઓનો મુદો મુખ્યમંત્રી વિજય રૂપાણી સુધી લઇ જવાશે.

અંકલેશ્વર અને પાનોલી જીઆઇડીસીમાં 3000 જેટલા નાના અને મોટા ઉદ્યોગો આવેલાં છે. જેના થકી હજારો કામદારો રોજગારી મેળવી રહયાં છે. નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના ચુકાદા બાદ જીપીસીબી માતબર રકમનો દંડ ફટકારી રહી છે. કંપનીઓની કિમંત કરતાં પણ દંડની રકમ વધારે હોવાના કારણે નાના ઉદ્યોગકારોની કમર તુટી ગઇ છે અને તેઓ હવે કંપનીઓ બંધ કરી દેવા સુધ્ધા તૈયાર થઇ ગયાં છે. બીજી તરફ ક્રિટીકલ ઝોનમાંથી બહાર આવ્યાં બાદ બંને જીઆઇડીસીના ઉદ્યોગો વિસ્તૃતિકરણ માટે કરોડો રૂપિયાનું રોકાણ કરી ચુકયાં છે પણ તેમના પ્લાન્ટ શરૂ કરવાની મંજૂરી હજી સુધી જીપીસીબીએ આપી નથી. જીપીસીબીએ નિયમોના કરેલા અર્થઘટન સામે ઉદ્યોગજગતમાં રોષની લાગણી જોવા મળી રહી છે.ગુરૂવારના રોજ અંકલેશ્વર ઉદ્યોગમંડળ ખાતે ઉદ્યોગકારોની મહત્વની બેઠક મળી હતી. જેમાં જીપીસીબીના વલણ અને ઉદ્યોગોને મળવાપાત્ર છુટછાટ અંગે વિવિધ સ્તરોએ રજૂઆત કરવાનું નકકી કરાયું હતું. જેના ભાગરૂપે રાજયના સહકાર મંત્રી અને અંકલેશ્વરના સ્થાનિક ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલને રજૂઆત કરી હતી. જેમાં ઇશ્વરસિંહ પટેલે ઉદ્યોગકારોની સમસ્યાઓ વિશ઼ે ઉદ્યોગકારો અને ભાજપ સંગઠનના આગેવાનોને સાથે રાખી મુખ્યમંત્રી વિજય રૂપાણીને રજૂઆત કરવાની ખાતરી આપી છે.

બીજી તરફ રાજયના ઉર્જા મંત્રી સૌરભ પટેલે પણ શુક્રવારના રોજ ભરૂ઼ચમા઼ બીડીએમએ આયોજીત એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. જેમાં તેમણે ઉદ્યોગો થકી વિકાસનો રાહ કંડારાશે તેમ જણાવ્યું હતું. તેમણે અંકલેશ્વર અને પાનોલીના ઉદ્યોગોની સમસ્યાઓ અને પ્રશ્નોને સાંભળી યોગ્ય હલ લાવવાની કટિબધ્ધતા દર્શાવી હતી.

Read the Next Article

ભરૂચ: ખાણ-ખનીજ વિભાગનો સપાટો, 7 દિવસમાં ખનીજ માફિયાઓના 8 વાહનો મળી રૂ.1.90 કરોડનો.મુદ્દામાલ કર્યો જપ્ત

ભરૂચ જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં ખનીજનું બિનઅધિકૃત વહન સદંતર બંધ રહે, ખનીજ ચોરી અટકે તે ઉદ્દેશથી સરપ્રાઇઝ ચેકીંગ અને ગેરકાયદેસર ખનન

New Update
MixCollage-16-Jun-2025-09-09-PM-1828

ભરૂચ જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં ખનીજનું બિનઅધિકૃત વહન સદંતર બંધ રહે, ખનીજ ચોરી અટકે તે ઉદ્દેશથી સરપ્રાઇઝ ચેકીંગ અને ગેરકાયદેસર ખનન અને ખનીજનું બિનઅધિકૃત વહનની પ્રવૃતિ મળી આવ્યે થી કાયદેસરની કાર્યવાહી સતત કરવામાં આવી રહી છે.

જે અંતર્ગત ભુસ્તરશાસ્ત્રી  સુચના અન્વયે ભુસ્તરવિજ્ઞાન અને ખનીજ કચેરી ભરૂચની ક્ષેત્રિય તપાસ ટીમ દ્વારા તા.૦૯ થી ૧૫ જુન ૨૦૨૫નાં દિવસ દરમ્યાન ભરૂચ જીલ્લાના અલગ- અલગ સ્થળોએ આકસ્મિક તપાસ કરી હતી. આ તપાસ દરમ્યાન વાગરા તાલુકાના પંખાજણ, ભરૂચ તાલુકાના ઝાડેશ્વર અને ઝઘડીયા તાલુકાના રાજપારડી- ઝધડીયા ખાતે કરવામાં આવેલી તપાસ દરમ્યાન બ્લેક્ટ્રેપ, સાદી રેતી અને સાદી માટી ખનીજના બિનઅધિકૃત વહન કરતાં કુલ ૮ વાહનોને સીઝ કરી કુલ-૧.૯૦કરોડનો મુદ્દામાલ જપ્ત કરી જીલ્લા સેવાસદન,ઝધડિયા પોલીસ સ્ટેશન, રાજપારડી પોલીસ સ્ટેશન અને વાગરા પોલીસ સ્ટેશન ખાતે મુદ્દામાલ જપ્ત કરી રાખવામાં આવ્યો છે.