-
અંકલેશ્વરમાં આવેલી છે શાળા
-
સંસ્કારદીપ વિદ્યાલયમાં ઉદ્ઘાટન
-
આઉટ ડોર જીમ્નેસિયમનું ઉદ્ઘાટન
-
કે.પટેલ કેમોફાર્મા કંપનીનો સહયોગ
-
શાળા પરિવાર રહ્યો ઉપસ્થિત
અંકલેશ્વરની શ્રીમતી પુષ્પાવતી દેવીદાસ શ્રોફ સંસ્કારદીપ વિદ્યાલયમાં કે.પટેલ કેમો ફાર્માના સૌજન્યથી આઉટ ડોર જીમનેશ્યમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જેમાં કે પટેલ કેમોફાર્માના જીતુ પટેલ, ગીરીશ પટેલ, નિલેશ પટેલ, મહેન્દ્ર પટેલ અને વિરાજ પટેલે હાજરી આપી બાળકોને કસરત કરવાનું શું મહત્વ છે એના વિશે સમજ આપી હતી. આ પ્રસંગે સંસ્કાર દીપ ટ્રસ્ટના અધ્યક્ષ એન.કે નાવડીયા,મંત્રી હિતેનભાઈ, તથા ટ્રસ્ટી અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.
