ભરૂચ : અસનાવી ગામ નજીક માર્ગ વચ્ચે ઊભેલી ટ્રક પાછળ બાઈક ભટકાતાં 1 યુવાનનું ઘટના સ્થળે મોત

New Update
ભરૂચ : અસનાવી ગામ નજીક માર્ગ વચ્ચે ઊભેલી ટ્રક પાછળ બાઈક ભટકાતાં 1 યુવાનનું ઘટના સ્થળે મોત

ભરૂચ જિલ્લાના ઝઘડીયા પોલીસ મથક હદ્દ વિસ્તારના અસનાવી ગામ નજીક માર્ગ પર ઊભેલી ટ્રક પાછળ બાઇકચાલક ધડાકાભેર ભટકાયો હતો. અકસ્માતના પગલે બાઇકચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું.

Advertisment

મળતી માહિતી અનુસાર, ગુરુવારની વહેલી સવારે નેત્રંગ તાલુકાના વણખુંટા ગામનો રાજકુમાર વસાવા તેમજ નિલેશ વસાવા નામનો યુવાન મોટરસાયકલ લઇને નોકરીએ જવા નીકળ્યો હતો, ત્યારે અસનાવી ગામ નજીક અંધારામાં બંધ પડેલી ટ્રકના ચાલકે ટ્રકની પાર્કિંગ લાઇટ ચાલુ રાખ્યા વિના તેમજ રસ્તા ઉપર કોઇ આડ મુક્યા વિના માર્ગ પર જ ટ્રક ઊભી રાખી હતી. જેના કારણે બાઇકચાલક યુવાનને રસ્તા ઉપર ઊભેલી ટ્રક સ્પષ્ટ નહીં દેખાતા ટ્રકની પાછળ ધડાકાભેર ભટકાયો હતો. અકસ્માતના પગલે રાજકુમારનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજયું હતુ, જ્યારે પાછળ બેસેલા યુવાન નિલેશ વસાવાને ઇજાઓ પહોચી હતી. સમગ્ર મામલે મૃતકના પિતા રણછોડ વસાવાએ ઝઘડીયા પોલીસ મથકે ફરિયાદ લખાવતા પોલીસે પાર્કિંગ લાઇટ ચાલુ કર્યા વિના કે, કોઇ આડ મુક્યા વિના ટ્રક પાર્ક કરનાર ટ્રકચાલક વિરુધ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Read the Next Article

BCCI એ એક મહત્વપૂર્ણ લીધો નિર્ણય, સ્થાનિક ક્રિકેટ સિઝન માટે નવા રિપ્લેસમેન્ટ નિયમો લાગુ કરવાની જાહેરાત કરી

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ટેસ્ટ શ્રેણીમાં રિપ્લેસમેન્ટ નિયમ પર થયેલા વિવાદ બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

New Update
scss

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ટેસ્ટ શ્રેણીમાં રિપ્લેસમેન્ટ નિયમ પર થયેલા વિવાદ બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

Advertisment

BCCI એ હવે પોતાની સ્થાનિક ક્રિકેટ સિઝન માટે નવા રિપ્લેસમેન્ટ નિયમો લાગુ કરવાની જાહેરાત કરી છે. આ નિયમો ખાસ કરીને લાઈક-ફોર-લાઈક રિપ્લેસમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ નિયમથી ભારતીય ક્રિકેટમાં એક મોટો બદલાવ આવશે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ આગામી 2025-26 ની સ્થાનિક ક્રિકેટ સિઝનથી રેડ-બોલ મેચોમાં નવા રિપ્લેસમેન્ટ નિયમો લાગુ કરવાનો નિર્ણય લીધો છે. આ નિયમ ICC ના કન્કશન સબસ્ટિટ્યુટ નિયમ જેવો જ છે. હવે ગંભીર રીતે ઇજાગ્રસ્ત ખેલાડી માટે ફક્ત લાઈક-ફોર-લાઈક રિપ્લેસમેન્ટની જ મંજૂરી આપવામાં આવશે. આ નિર્ણય ખાસ કરીને ભારત-ઇંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણીમાં રિષભ પંત અને ક્રિસ વોક્સના કેસ પછી લેવામાં આવ્યો છે. આ નિયમ હાલમાં માત્ર રેડ-બોલ અને અંડર-19 CK નાયડુ ટ્રોફીમાં લાગુ થશે, જ્યારે વ્હાઇટ-બોલ ટુર્નામેન્ટમાં નહીં.

Latest Stories