ભરૂચના નેત્રંગમાં રોડ પર પડેલા ખાડામાં ભાજપનો ધ્વજ લગાવી અનોખી રીતે વિરોધ કરાયો હતો

ભરૂચના નેત્રંગ-અંકલેશ્વર સુધીના બિસ્માર રસ્તાના કારણે વાહનચાલકોમાં ભારે રોષ જણાઇ રહ્યો છે. વરસાદમાં રસ્તા પર ખાડા પડતા અને તેમાં વરસાદી પાણી ભરાઈ જતાં વાહનચાલકોને ખાડાનો અંજાદ રહેતો નથી આથી અકસ્માતના પણ બનાવો બને છે ત્યારે કોંગ્રેસ દ્વારા અનોખી રીતે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.કોંગ્રેસ દ્વારા રસ્તા પર પડેલા ખાડમાં ભાજપનો ધ્વજ લગાવવામાં આવ્યો હતો અને આ બિસ્માર માર્ગો ભાજપ સરકારની દેન હોવાનો કટાક્ષ કરવામાં આવ્યો હતો