ભરૂચ : નગરપાલિકાની સભામાં રસ્તાના મુદે ધમાસાણ, વિપક્ષ આકરા પાણીએ

New Update
ભરૂચ : નગરપાલિકાની સભામાં રસ્તાના મુદે ધમાસાણ, વિપક્ષ આકરા પાણીએ

ભરૂચ નગરપાલિકાની શુક્રવારના રોજ મળેલી સામાન્યસભા શહેરમાં ફોગિંગની કામગીરી, રસ્તાઓ સહિતના મુદે તોફાની બની હતી. વિપક્ષના સભ્યોએ રસ્તાઓનું સત્વરે રીપેરીંગ નહિ કરાઇ તો આંદોલનની ચીમકી આપી છે.

ભરૂચ નગરપાલિકાની શુક્રવારે સવારે સામાન્ય સભા મળી જેમાં વરસાદી સિઝનમાં શહેરની થયેલી હાલત તથા સ્વચ્છતા ને લઈને વિપક્ષના સભ્યો આક્રમક જણાયાં હતાં. વિપક્ષના સભ્યોએ રજૂઆત કરી હતી કે, ભરૂચ પાલિકામાં 11 વોર્ડ આવેલા છે જેમાં સત્તા પક્ષ દ્વારા માત્ર ગણતરીના વોર્ડને જ ગ્રાન્ટ ફાળવી અન્યને વિકાસથી વંચિત રાખવામાં આવે છે જેથી અન્યાયની રાજનિતી બંધ કરવા માંગ કરાઇ હતી.

બીજી તરફ ભરૂચ શહેરમાં માર્ગો વરસાદી સિઝનમાં અત્યંત ખખડધજ બની ગયાં છે અને આગામી સમયમાં આવી રહેલા તહેવારોને ધ્યાનમાં લઈને ખરાબ રસ્તાના પગલે લોકોને અગવડતા મુદ્દે વિપક્ષ ભારે રોષ સાથે પ્રમુખને આડે હાથે લીધા હતા .પાલિકા દ્વારા સત્વરે રોડ રસ્તા નો ટેન્ડરીંગ કરી રીપેરીંગ કામ યુદ્ધના ધોરણે નહીં થાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી છે.

શહેરમાં ફેલાઇ રહેલા રોગચાળાની વાત કરવામાં આવે તો વિપક્ષના સભ્યોના જણાવ્યા અનુસાર શહેરની બે લાખની વસ્તી સામે પાલિકા પાસે માત્ર 13 જેટલા ફોગિંગ મશીન છે. શહેરમાં તમામ વોર્ડમાં અંદાજે ૬૦ હજારથી વધારે મકાનો છે એક મશીનથી એક દિવસમાં ૩૦ થી ૪૦ મકાનો માં ફોગીગ કરી શકાય. હેલ્થ વિભાગ પાસે રહેલા ફોગીગ ના વાહનો ઘણી વખત બીજા કાર્ય માં ઉપયોગ કરવામાં આવે છે ..જેના કારણે સમયસર સોસાયટી વિસ્તારો અને વોર્ડમાં ફોગિગ ન થતાં રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત છે. પાલિકા સત્તાધીશોની અણઆવડતના કારણે શહેરમાં વિવિધ રોગથી પીડાતા દર્દીઓની સંખ્યા વધી રહી છે.

Read the Next Article

ભરૂચ: ખાણ-ખનીજ વિભાગનો સપાટો, 7 દિવસમાં ખનીજ માફિયાઓના 8 વાહનો મળી રૂ.1.90 કરોડનો.મુદ્દામાલ કર્યો જપ્ત

ભરૂચ જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં ખનીજનું બિનઅધિકૃત વહન સદંતર બંધ રહે, ખનીજ ચોરી અટકે તે ઉદ્દેશથી સરપ્રાઇઝ ચેકીંગ અને ગેરકાયદેસર ખનન

New Update
MixCollage-16-Jun-2025-09-09-PM-1828

ભરૂચ જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં ખનીજનું બિનઅધિકૃત વહન સદંતર બંધ રહે, ખનીજ ચોરી અટકે તે ઉદ્દેશથી સરપ્રાઇઝ ચેકીંગ અને ગેરકાયદેસર ખનન અને ખનીજનું બિનઅધિકૃત વહનની પ્રવૃતિ મળી આવ્યે થી કાયદેસરની કાર્યવાહી સતત કરવામાં આવી રહી છે.

જે અંતર્ગત ભુસ્તરશાસ્ત્રી  સુચના અન્વયે ભુસ્તરવિજ્ઞાન અને ખનીજ કચેરી ભરૂચની ક્ષેત્રિય તપાસ ટીમ દ્વારા તા.૦૯ થી ૧૫ જુન ૨૦૨૫નાં દિવસ દરમ્યાન ભરૂચ જીલ્લાના અલગ- અલગ સ્થળોએ આકસ્મિક તપાસ કરી હતી. આ તપાસ દરમ્યાન વાગરા તાલુકાના પંખાજણ, ભરૂચ તાલુકાના ઝાડેશ્વર અને ઝઘડીયા તાલુકાના રાજપારડી- ઝધડીયા ખાતે કરવામાં આવેલી તપાસ દરમ્યાન બ્લેક્ટ્રેપ, સાદી રેતી અને સાદી માટી ખનીજના બિનઅધિકૃત વહન કરતાં કુલ ૮ વાહનોને સીઝ કરી કુલ-૧.૯૦કરોડનો મુદ્દામાલ જપ્ત કરી જીલ્લા સેવાસદન,ઝધડિયા પોલીસ સ્ટેશન, રાજપારડી પોલીસ સ્ટેશન અને વાગરા પોલીસ સ્ટેશન ખાતે મુદ્દામાલ જપ્ત કરી રાખવામાં આવ્યો છે.