Connect Gujarat
ભરૂચ

બફારા વચ્ચે ગુજરાત એક્સપ્રેસ ટ્રેનમાં AC બંધ થઈ જતા હોબાળો, અંકલેશ્વર અને સુરત રેલ્વે સ્ટેશન પર ટ્રેન થંભાવી દેવાય

અમદાવાદથી મુંબઈ જઇ રહેલ ગુજરાત એક્ષપ્રેસ ટ્રેનના સી-1 નંબરના કોચમાં AC બંધ થઈ જતાં મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો.

X

અમદાવાદથી મુંબઈ જઇ રહેલ ગુજરાત એક્ષપ્રેસ ટ્રેનના સી-1 નંબરના કોચમાં AC બંધ થઈ જતાં મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો જેના પગલે ટ્રેન 1 કલાક જેટલી મોડી પડી હતી

અંકલેશ્વર રેલ્વે સ્ટેશન નજીક તાજેતરમાં જ ઓવર હેડ કેબલ તૂટી પડતાં અમદાવાદ મુંબઈ વચ્ચેનો રેલ વ્યવહાર ખોરવાયો હતો ત્યારે આજે વધુ એક ઘટના બહાર આવી હતી. અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન નંબર 22954ના કોચ નંબર સી-1માં એસ.ઇ.બંધ થઈ જતાં મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો. મુસાફરોએ અંકલેશ્વર રેલ્વે સ્ટેશન પર ટ્રેન થંભાવી દિધી હતી અને લગભગ 15 મિનિટ સુધી વિરોધ વ્યક્ત કર્યો હતો જેના પગલે રેલ્વે પોલીસ અને અધિકારીઓ દોડતા થયા હતા.અધિકારીઓએ મુસાફરોને સમજાવી ટ્રેન આગળ રવાના કરી હતી જો કે સુરત રેલ્વેસ્ટેશન સુધી AC ન ચાલુ થતાં ફરી ટ્રેન થોભાવી દેવામાં આવી હતી જ્યાં રેલવેના અધિકારીઓએ તાત્કાલિક સમારકામ કર્યું હતું. AC બંધ થવાના કારણે થયેલ વિવાદના પગલે ત્રણ 1 કલાક જેટલી મોડી પડી હતી અને અનેક મુસાફરોએ હેરાન થવાનો વારો આવ્યો હતો

Next Story