અંકલેશ્વર : સુરતના ઉમરામાંથી ચોરી થયેલ બાઇક સાથે 2 ઇસમોની ધરપકડ, અન્ય એક આરોપી વોન્ટેડ

બી' ડિવિઝન પોલીસે સુરતના ઉમરા પોલીસ મથક વિસ્તારમાં વાહન ચોરીમાં સંડોવાયેલ 2 ઇસમોને ઝડપી પાડ્યા હતા, જ્યારે અન્ય એક ઈસમને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

New Update
અંકલેશ્વર : સુરતના ઉમરામાંથી ચોરી થયેલ બાઇક સાથે 2 ઇસમોની ધરપકડ, અન્ય એક આરોપી વોન્ટેડ

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર બી' ડિવિઝન પોલીસે સુરતના ઉમરા પોલીસ મથક વિસ્તારમાં વાહન ચોરીમાં સંડોવાયેલ 2 ઇસમોને ઝડપી પાડ્યા હતા, જ્યારે અન્ય એક ઈસમને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

ભરૂચ પોલીસ વડા મયુર ચાવડા અને વિભાગીય પોલીસ વડા ચિરાગ દેસાઇની માર્ગદર્શન હેઠળ જિલ્લામાં બનતા મિલ્કત સંબંધી ગુના અને વાહન ચોરીના ગુનાઓને શોધી કાઢવા માટે આપેલ સૂચનાના આધારે અંકલેશ્વર શહેર બી' ડિવિઝન પી.આઈ. વી.કે.ભુતીયા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન પોલીસ મથકની હદમાં યામાહા કંપનીની R-15 બાઇકના ચાલકે RTOના નિયમોનું ઉલ્લંઘન કરતાં પોલીસે બાઇક ડીટેઇન કરી હતી. આ સાથે જ પોલીસે મોટર સાઇકલનો નં. GJ-05-SR-5702ને ઇ-ગુજકોપમાં સર્ચ કર્યો હતો, જે બાઇક સુરત શહેરના ઉમરા પોલીસ મથકની હદમાંથી ચોરી થઈ હોવાનું માલૂમ પડ્યું હતું. જેથી પોલીસે આ ઈસમ પાસે વાહનના દસ્તાવેજો માંગતા તેની નહીં હોવાનું કહી આ બાઇક કોસંબાના અન્ય એક ઈસમ પાસેથી રૂ. 37 હજારમાં લીધી હોવાનું જણાવ્યુ હતું. જોકે, પોલીસે કોસંબના ઈસમની વધુ પૂછપરછ કરતાં તેણે આ બાઇક અંકલેશ્વરના એક ઈસમ પાસેથી રૂ. 30 હજારમાં ખરીદી હોવાની કબૂલાત કરી હતી. સમગ્ર મામલે પોલીસે 2 ઇસમોની અટકાયત કરી હતી, જ્યારે અન્ય એક ઈસમને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

Read the Next Article

ભરૂચ : અસુરીયા પાટીયા નજીક અકસ્માત બાદ ટ્રકચાલક કેબિનમાં ફસાયો, જુઓ “LIVE” રેસક્યું

અસુરીયા પાટિયા નજીક ગત મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રકને અકસ્માત નડતા ટ્રકનો ચાલક કેબિનમાં ફસાઈ ગયો હતો ફાયર ફાઈટર તેમજ 108 એમ્બ્યુલન્સની ટીમે ટ્રક ચાલકનું રેસ્ક્યૂ કરી બહાર કાઢ્યો

New Update
  • NH-48 પર અસુરીયા પાટીયા નજીક અકસ્માત

  • અકસ્માત બાદ ટ્રકચાલક ટ્રકની કેબિનમાં ફસાયો

  • 108 ઈમરજન્સી સહિત ફાયર ફાઈટરો દોડી આવ્યા

  • ફાયર ફાઈટરોએ ટ્રકચાલકનું રેસ્ક્યુ ઓપરેશન કર્યું

  • ભારે જહેમત બાદ ટ્રકચાલકને હેમખેમ બહાર કાઢ્યો 

ભરૂચમાંથી પસાર થતાં નેશનલ હાઇવે નં. 48 પર અસુરીયા પાટીયા નજીક અકસ્માત બાદ ટ્રકચાલક કેબિનમાં ફસાયો હતો. જેને ફાયર ફાઈટરોએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી હેમખેમ બહાર કાઢ્યો હતો.

ભરૂચ નેશનલ હાઇવે નંબર 48 પર અસુરીયા પાટિયા નજીક ગત મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રકને અકસ્માત નડતા ટ્રકનો ચાલક કેબિનમાં ફસાઈ ગયો હતો. આ અંગે જાણ થતાની સાથે જ ફાયર ફાઈટર તેમજ 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતીજ્યાં ટ્રકમાં ફસાયેલ ચાલકને બહાર કાઢવા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું.

ભારે જહેમત બાદ ટ્રક ચાલકને હેમખેમ બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. તો બીજી તરફઅકસ્માતના પગલે રાત્રિના સમયે નેશનલ હાઇવે નંબર 48 પર ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. જેથી પોલીસ અને ફાયર ટીમ અકસ્માતગ્રસ્ત વાહનને માર્ગ પરથી હટાવી વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો.

Read the Next Article

ભરૂચી માતાના મંદિર પાટોત્સવ નિમિત્તે  લક્ષ્મીયાગનું કરાયુ આયોજન, મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા

પાવન પ્રસંગે ભક્તિ સભર માહોલ વચ્ચે લક્ષ્મી યાગનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું.પાટોત્સવ નિમિત્તે મંદિરને ભવ્ય રીતે શણગારી વિશેષ પૂજા-અર્ચનાના કાર્યક્રમો યોજાયા

New Update
  • ભરૂચના હાથીખાના બજારમાં આવેલું છે મંદિર

  • ભરૂચી માતાના મંદિરનો પાટોત્સવ યોજાયો

  • લક્ષ્મીયાગનું કરાયુ આયોજન

  • શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજન કરાયુ

  • મોટી સંખ્યમાં ભાવિક ભક્તો જોડાયા

ભરૂચના હાથીખાના બજાર ખાતે આવેલ બહુપ્રાચીન અને પાવન ભરૂચી માતાના મંદિરના પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા ભરૂચના હાથીખાના બજાર ખાતે આવેલ બહુપ્રાચીન અને પાવન ભરૂચી માતાના મંદિર ખાતે પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
આ પાવન પ્રસંગે ભક્તિ સભર માહોલ વચ્ચે લક્ષ્મી યાગનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું.પાટોત્સવ નિમિત્તે મંદિરને ભવ્ય રીતે શણગારી વિશેષ પૂજા-અર્ચનાના કાર્યક્રમો યોજાયા હતા.સંખ્યાબંધ ભક્તોએ માતાના દર્શન કરી યાગમાં ભાગ લીધો હતો.મંદિર ટ્રસ્ટ દ્વારા યાગના લાભાર્થીઓ અને ભક્તોને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.