અંકલેશ્વર : સારંગપુરની 2 સગી બહેનો રહસ્યમય સંજોગોમાં લાપતા, અપહરણની આશંકા વચ્ચે પોલીસ તપાસ શરૂ..!

સારંગપુર ગામમાંથી 13 અને 14 વર્ષીય 2 સગી બહેનો રહસ્યમય સંજોગોમાં લાપતા બનતા પોલીસે અપહરણની આશંકા વચ્ચે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.

New Update
અંકલેશ્વર : સારંગપુરની 2 સગી બહેનો રહસ્યમય સંજોગોમાં લાપતા, અપહરણની આશંકા વચ્ચે પોલીસ તપાસ શરૂ..!

ભરૂચ જીલ્લાના અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામમાંથી 13 અને 14 વર્ષીય 2 સગી બહેનો રહસ્યમય સંજોગોમાં લાપતા બનતા પોલીસે અપહરણની આશંકા વચ્ચે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામ દુકાન ચલાવતા મોહમદ રાજુખાં મહોમદ સાદીકખાનની 13 વર્ષીય રહેમતીખાતુન અને 14 વર્ષીય તોફાખાતુન રાત્રે પિતાની દુકાનેથી ઘરે જવા નીકળી હતી. ત્યારબાદ આ બાળકીઓ ઘરે પહોંચી જ ન હતી. જોકે, આ બાળકીઓ આસપાસ રમતી હોવાના અનુમાન વચ્ચે પરિવારે ગંભીરતા દાખવી ન હતી. પરંતુ લાંબા સમય સુધી બાળકીઓ ઘરે ન પહોંચતા શોધખોળ શરૂ કરાય હતી. પિતાની દુકાનેથી ઘરે જવા નીકળેલી બાળકીઓ ઘરે ન પહોચતા પરિવારજનોએ પોલીસને જાણ કરતા પોલીસ તંત્ર પણ હરકતમાં આવ્યું હતું. તો બીજી તરફ, બાળકીઓનો આખી રાત શોધખોળ કરવા છતાંય ક્યાંય પત્તો મળ્યો નથી. બનાવ સંદર્ભે અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે અપહરણનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ અંક્લેશ્વરમાંથી રમતા રમતા લાપતા બનેલી 9 વર્ષીય બાળકીની તપાસ CBIને સોંપવામાં આવી છે. જેની હાલમાં તપાસ ચાલી રહી છે, ત્યારે વધુ 2 બાળકીઓ રહસ્યમય સંજોગોમાં ગુમ થતા પોલીસ દોડતી થઇ છે.

Latest Stories