/connect-gujarat/media/post_banners/f0be6baa7b91de42aaa961614a693e42fd54e6f8e366e70217cd6f86d91487d1.webp)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે અંકલેશ્વર-રાજપીપળા રોડ ઉપર આવેલ ગિરનાર સોસાયટીની 2 દુકાનોમાંથી શંકાસ્પદ જૂની એસ.એસ.ની સાપ્ટીંગ અને લોખંડના ચક્કર સહિત રૂ. 1 લાખના મુદ્દામાલ સાથે 2 ઇસમોને ઝડપી પાડ્યા હતા.
મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, અંકલેશ્વર-રાજપીપળા રોડ ઉપર આવેલ ગિરનાર સોસાયટીની 2 દુકાનોમાં શંકાસ્પદ ભંગાર સંતાડેલ છે. જેવી બાતમીના આધારે પોલીસે સ્થળ ઉપર દરોડા પાડ્યા હતા. પોલીસને દુકાન નંબર-12 અને 13માંથી જૂની એસ.એસ.ની સાપ્ટીંગ, લોખંડના ચક્કર, એસ.એસ. કપ્લર અને અન્ય કીમતી ધાતુઓ મળી આવી હતી. સમગ્ર મામલે પોલીસે ગણેશ પાર્કની બાજુમાં આવેલ શાંતિતીર્થ સોસાયટીમાં રહેતા 2 ઇસમોને લોખંડના ભંગાર અંગે પૂછપરછ કરતાં બન્ને ઇસમોએ સંતોષકાર જવાબ નહીં આપતા પોલીસે બન્ને ઇસમની રૂ. 1 લાખથી વધુના મુદ્દામાલ સાથે અટકાયત કરી આગળ વધુ તપાસ ચલાવી હતી.