Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : રાજપીપળા રોડ પર ગિરનાર સોસાયટીમાંથી શંકાસ્પદ ભંગારના જથ્થા સાથે 2 શખ્સોની અટકાયત...

રાજપીપળા રોડ ઉપર આવેલ ગિરનાર સોસાયટીની 2 દુકાનોમાંથી શંકાસ્પદ જૂની એસ.એસ.ની સાપ્ટીંગ અને લોખંડના ચક્કર સહિત રૂ. 1 લાખના મુદ્દામાલ સાથે 2 ઇસમોને ઝડપી પાડ્યા હતા.

અંકલેશ્વર : રાજપીપળા રોડ પર ગિરનાર સોસાયટીમાંથી શંકાસ્પદ ભંગારના જથ્થા સાથે 2 શખ્સોની અટકાયત...
X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે અંકલેશ્વર-રાજપીપળા રોડ ઉપર આવેલ ગિરનાર સોસાયટીની 2 દુકાનોમાંથી શંકાસ્પદ જૂની એસ.એસ.ની સાપ્ટીંગ અને લોખંડના ચક્કર સહિત રૂ. 1 લાખના મુદ્દામાલ સાથે 2 ઇસમોને ઝડપી પાડ્યા હતા.

મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, અંકલેશ્વર-રાજપીપળા રોડ ઉપર આવેલ ગિરનાર સોસાયટીની 2 દુકાનોમાં શંકાસ્પદ ભંગાર સંતાડેલ છે. જેવી બાતમીના આધારે પોલીસે સ્થળ ઉપર દરોડા પાડ્યા હતા. પોલીસને દુકાન નંબર-12 અને 13માંથી જૂની એસ.એસ.ની સાપ્ટીંગ, લોખંડના ચક્કર, એસ.એસ. કપ્લર અને અન્ય કીમતી ધાતુઓ મળી આવી હતી. સમગ્ર મામલે પોલીસે ગણેશ પાર્કની બાજુમાં આવેલ શાંતિતીર્થ સોસાયટીમાં રહેતા 2 ઇસમોને લોખંડના ભંગાર અંગે પૂછપરછ કરતાં બન્ને ઇસમોએ સંતોષકાર જવાબ નહીં આપતા પોલીસે બન્ને ઇસમની રૂ. 1 લાખથી વધુના મુદ્દામાલ સાથે અટકાયત કરી આગળ વધુ તપાસ ચલાવી હતી.

Next Story