અંકલેશ્વર : જુના તરીયા ગામે નર્મદા જયંતી નિમિત્તે નર્મદા મૈયાને 1100 ફૂટ લાંબી સાડી અર્પણ કરાય

પવિત્ર નર્મદા નદી કે, જેની ભારતમાં એકમાત્ર પરિક્રમા થાય છે. નર્મદા મૈયાની આજે નર્મદા જયંતી છે,

New Update
અંકલેશ્વર : જુના તરીયા ગામે નર્મદા જયંતી નિમિત્તે નર્મદા મૈયાને 1100 ફૂટ લાંબી સાડી અર્પણ કરાય

પવિત્ર નર્મદા નદી કે, જેની ભારતમાં એકમાત્ર પરિક્રમા થાય છે. નર્મદા મૈયાની આજે નર્મદા જયંતી છે, ત્યારે નર્મદા જયંતિ નિમિતે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના જુના તરીયા ગામ ખાતે શ્રદ્ધાળુઓએ ભેગા થઈને નર્મદા મૈયાને 1100 ફૂટ લાંબી સાડી અર્પણ કરી હતી. જેમાં 10થી વધુ નૌકાઓની મદદ લઈ શ્રધ્ધાળુઓએ નાવમાં બેસી નર્મદા મૈયાને સાડી અર્પણ કરી હતી. આ તકે નમામિ દેવી નર્મદેના નારા સાથે મોટી સંખ્યામાં ગ્રામજનો અને શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. જોકે, જૂના તરિયા ગામમાં 6 મહિના પહેલા જ માઁ નર્મદાનું પૂર આવવાના કારણે ગામ ડૂબી ગયું હતું, અને ખેડૂતો મોટાપાયે અહી નુકશાન પણ થયું હતું. પરંતુ આ ગામના લોકોમાં માઁ નર્મદા પ્રત્યે રહેલી અપાર શ્રદ્ધા અને આસ્થાના કારણે માઁ નર્મદા આજે પણ તેમની સાથે છે, ત્યારે સુ ગ્રામજનોએ ભેગા મળી નર્મદા જયંતિની ધામધૂમથી ઉજવણી કરી હતી.

Read the Next Article

ભરૂચ: દિવસે ગેસ્ટ હાઉસમાં રહી રાતે દુકાનો-મકાનોમાં ચોરી કરતા 2 રીઢા ચોરની એ ડિવિઝન પોલીસે કરી ધરપકડ

બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતીઅને બાતમીવાળા ઈસમો આવતા પોલીસે તેઓને અટકાવી પૂછપરછ કરતા તેઓએ મહાદેવ પ્રોવિઝન સ્ટોરમાં ચોરી કરી હોવાની કબૂલાત કરી

New Update
  • ભરૂચ એ ડિવિઝન પોલીસને મળી સફળતા

  • મકાન દુકાનોમાં ચોરી કરતા 2 રીઢા ચોર ઝડપાયા

  • સુરત અને ભરૂચમાં ચોરીના ગુનાઓને આપ્યો હતો અંજામ

  • રૂ.13 હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો

  • પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે શહેર અને સુરત શહેરમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી શટર તોડ ટોળકીના બે રીઢા સાગરીતો સહિત એક લબરમુછીયાને ઝડપી પાડ્યા હતા.
ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ગત તારીખ-19મી જુનના રોજ રાતે નંદેલાવ રોડ ઉપર શુકન રેસિડેન્સીમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ 1થી 3 દુકાનોને નિશાન બનાવી મહાદેવ પ્રોવિઝન સ્ટોર નામની દુકાનનું શટર તોડી ચોરીની ઘટનાને અંજામ આપનાર ઈસમો નંદેલાવ રોડ ઉપર ફરે છે.જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતીઅને બાતમીવાળા ઈસમો આવતા પોલીસે તેઓને અટકાવી પૂછપરછ કરતા તેઓએ મહાદેવ પ્રોવિઝન સ્ટોરમાં ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.
પોલીસે 13 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને સુરતના કતારગામના રઘુવીર એપાર્ટમેન્ટમાં રહેતો ડેનિશ ઉર્ફે ડેનિયો ભુપત ઘોઘારી તેમજ પ્રવીણ નારાયણ નાગર અને એક લબરમુછીયાને ઝડપી પાડ્યો હતો.ઝડપાયેલા રીઢા ગુનેગારો અલગ અલગ જિલ્લામાં ગેસ્ટ હાઉસમાં રોકાણ કરી દિવસ દરમિયાન રેકી કરી રાતે બંધ દુકાનના શટર તોડી ચોરીની ઘટનાને અંજામ આપતા હોવાની વૃત્તિ ધરાવે છે.ઝડપાયેલા ઈસમો વિરુદ્ધ અનેક જિલ્લાઓમાં ચોરીના ગુના નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું છે.