અંકલેશ્વર : વીજળીના થાંભલા સાથે મોપેડ ટકરાતા 13 વર્ષીય કિશોરનું ઘટના સ્થળે મોત, અન્ય કિશોર સારવાર હેઠળ

વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. મોપેડ સવાર 2 કિશોરોને અકસ્માત નડતાં 13 વર્ષીય કિશોરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું,

New Update
અંકલેશ્વર : વીજળીના થાંભલા સાથે મોપેડ ટકરાતા 13 વર્ષીય કિશોરનું ઘટના સ્થળે મોત, અન્ય કિશોર સારવાર હેઠળ

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાંથી વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. મોપેડ સવાર 2 કિશોરોને અકસ્માત નડતાં 13 વર્ષીય કિશોરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે ગંભીર ઈજાના પગલે 15 વર્ષીય કિશોરને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

મળતી માહિતી અનુસાર, અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા નજીક આવેલ સહજાનંદ સોસાયટીમાં રહેતો 15 વર્ષીય દિવ્ય શુક્લા તેમજ સનફ્લોર રેસીડેન્સીમાં રહેતો 13 વર્ષીય આયુષ યાદવ મોપેડ લઈને જતાં હતા, તે દરમિયાન સાંઈ દર્શનથી સાંઈ શ્રદ્ધા સોસાયટી વચ્ચેના માર્ગ પર વીજળીના થાંભલા સાથે તેઓનું મોપેડ ટકરાતા 13 વર્ષીય આયુષ યાદવનું ગંભીર ઈજાના પગલે ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે 15 વર્ષીય દિવ્ય શુક્લાને પણ માથાના ભાગે ગંભીર ઈજા પહોચતા અર્ધ બેભાન અવસ્થામાં અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. તો બીજી તરફ, પોલીસે અકસ્માતે એક કિશોરનું મોતનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, નાના કિશોરોના હાથમાં વાહનનું સંચાલન જવાથી અકસ્માત થવાની સંભાવના રહે છે, ત્યારે વાલીઓએ પણ સજાગ થઈ પોતાના બાળકોને વાહન નહીં આપવા પોલીસ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

Read the Next Article

અંકલેશ્વર: ONGCમાં નોકરીના બહાને રૂ.1.84 કરોડની છેતરપીંડીમાં ફરિયાદી જ આરોપી નિકળ્યો, પોલીસે કરી ધરપકડ

આરોપીએ વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચ આપી અનેક લોકોને ફસાવ્યા હતા...

New Update
ONGC Fraud
અંકલેશ્વર ONGC માં અલગ અલગ સ્થળે 90 લોકોને નોકરીની લાલચ આપી 1.84 કરોડની ઠગાઈમાં વોન્ટેડ આરોપી ઝડપાતા ફરિયાદી પણ આરોપી હોવાનો થયો ધડાકો અંકલેશ્વરની ONGC કંપનીમાં સિક્યોરિટીમાં રાજ્યમાં અલગ અલગ સ્થળે નોકરીની લાલચે 90થી વધુ લોકો સાથે આચરાયેલા રૂપિયા 1.84 કરોડના કૌભાંડમાં ફરિયાદી પણ આરોપી નીકળ્યો છે. 
અંકલેશ્વરની અમૃતકુંજ સોસાયટીમાં રહેતા ફરિયાદી એવા આરોપી ઘનશ્યામસીધ રાજપુતની અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી લીધી છે. વર્ષ 2022 થી 2024 માં વિરાટ નગર રહેતા ઓગસ્ત હરદેવ પાંડે એ પોતે નેશનલ ઇન્વેસ્ટીગેશન સિક્યુરીટી સર્વીિસ NISS કંપનીના મેનેજર તરીકેની ખોટી ઓળખ આપી હતી. વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચમાં લોકોને ફસાવ્યા હતા.
NISS કંપનીના બોગસ જોઇનીંગ લેટર અને આઇ કાર્ડ બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી વિશ્વાસમાં લઇ હાલના આરોપી એવા ફરિયાદીના પરિવારના 10 લોકો સહિત કુલ 50 જેટલા લોકો પાસેથી રૂપિયા 1.04 કરોડ પડાવ્યા હતા.સાથે જ ઠાકોરભાઇ આહીર અને તેની સાથેના 40 અન્ય લોકો પાસેથી દરેકના બે લાખ લેખે આશરે ₹80 લઇ નોકરીએ નહિ લગાવી નાસી છૂટ્યો હતો. જે આરોપી અગસ્ત પાંડે પકડાતા તેને પોલીસ સમક્ષ આ કૌભાંડમાં ફરિયાદી એવો ઘનશ્યામ સિંઘ પણ સામેલ હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. એ ડિવિઝન પોલીસે ફરિયાદીની આરોપી તરીકે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Latest Stories