અંકલેશ્વર: ઉદ્યોગપતિની કારનો કાચ તોડી રૂપિયા 3.60 લાખ ભરેલ બેગની ચોરી,પોલીસે શરૂ કરી તપાસ

જી.આઈ.ડી.સી.ની ભાવિક મશીનરી કંપનીના ગેટ બહાર પાર્ક કરેલ ઉદ્યોગપતિની ગાડીના કાચ તોડી ગઠીયા રોકડા રૂપિયા ૩.૬૦ લાખ ભરેલ બેગની ચોરી કરી ફરાર થઇ ગયા હતા

New Update
અંકલેશ્વર: ઉદ્યોગપતિની કારનો કાચ તોડી રૂપિયા 3.60 લાખ ભરેલ બેગની ચોરી,પોલીસે શરૂ કરી તપાસ

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની ભાવિક મશીનરી કંપનીના ગેટ બહાર પાર્ક કરેલ ઉદ્યોગપતિની ગાડીના કાચ તોડી ગઠીયા રોકડા રૂપિયા ૩.૬૦ લાખ ભરેલ બેગની ચોરી કરી ફરાર થઇ ગયા હતા

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ સરદાર પાર્ક સ્થિત મનોરથ સોસાયટીમાં રહેતા બીપીન કાળુંભાઈ કોઠીયા જી.આઈ.ડી.સી.ની કોહીનુર પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝમાં પ્લાસ્ટિક મેન્યુફેક્ચરિંગ કંપની ચલાવે છે જેઓ ગતરોજ સવારે રાબેતામુજબ કંપની ઉપર ગયા હતા ત્યાંથી પોતાની કાર લઇ પ્રતિન ચોકડી સ્થિત આંગણીયા પેઢીમાંથી રોકડા રૂપિયા ૩.૬૦ લાખ લેપટોપના બેગમાં ભરી અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની ભાવિક મશીનરી કંપનીના ગેટ બહાર ગાડી પાર્ક કરી કંપનીમાં મિત્રને મળવા ગયા હતા તે દરમિયાન અજાણ્યા ઈસમોએ ગાડીના ડ્રાઈવર સાઈડના દરવાજાનો કાચ તોડી અંદર લેપટોપના બેગમાં રહેલ રોકડા રૂપિયા ૩.૬૦ લાખની ચોરી કરી કરી ફરાર થઇ ગયા હતા ૧૦ મિનીટ બાદ બીપીન કાળુંભાઈ કોઠીયા પોતાની કાર પાસે આવતા તેઓએ પોતાની ગાડીના કાચ તૂટેલા જોતા તેઓને ચોરી થઇ હોવાનું માલુમ પડ્યું હતું ચોરી અંગે તેઓએ જી.આઈ.ડી.સી.પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી છે.

Read the Next Article

ભરૂચ: અપનાઘર સોસા.માં દુષિત પાણીના કારણે રહીશોના આરોગ્ય સામે ખતરો, નગરપાલિકા પ્રશ્નનું નિરાકરણ લાવે એવી માંગ

ભરૂચ અપનાઘર સોસાયટીના રહીશોએ જણાવ્યું હતું કે તેમને પીવા માટે મળતું નળનું પાણી ગંદું અને અસ્વચ્છ છે જેના કારણે આરોગ્યની તકલીફો વધી રહી છે.

New Update
  • ભરૂચની અપનાઘર સોસાયટીનો બનાવ

  • દુષિત પાણીના કારણે રહીશો પરેશાન

  • સ્થાનિકોના આરોગ્ય સામે ખતરો

  • અધિકારીઓ પાણીના નમૂના લઈ જતા રહ્યા

  • હજુ સુધી પ્રશ્નનું કોઈ નિરાકરણ નહીં

ભરૂચ નગર સેવા સદનની હદમાં આવેલ આપના ઘર સોસાયટીમાં દુષિત પાણીના કારણે રહીશોના આરોગ્ય સામે ખતરો ઉભો થયો છે. ભરૂચ નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ અપના ઘર સોસાયટીના રહીશો હાલ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ અંગે સોસાયટીના રહીશોએ જણાવ્યું હતું કે તેમને પીવા માટે મળતું નળનું પાણી ગંદું અને અસ્વચ્છ છે જેના કારણે આરોગ્યની તકલીફો વધી રહી છે.
છેલ્લા કેટલાક સમયથી નળમાંથી આવતું પાણી ગંદુ છે જેના કારણે સોસાયટીમાં માંદગીનું પ્રમાણ વધ્યુ છે.આ અંગે સ્થાનિકો નગરપાલિકામાં વારંવાર રજુઆત કરી હોવા છતા પ્રશ્નનું કોઈ નિરાકરણ ન આવતું હોવાના સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે.સ્થાનિક મનહરભાઈના જણાવ્યા અનુસાર અધિકારીઓ દ્વારા પાણીના સેમ્પલ તો લેવામાં આવ્યા છે પરંતુ હજુ સુધી તેનો રિપોર્ટ આવ્યો નથી અને નળમાંથી ગંદુ પાણી આવવાનું હજુ પણ યથાવત જ છે.