Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર:સુરતી ભાગોળ વિસ્તારનું બંધ મકાન ચઢ્યું તસ્કરોના નિશાને, દાગીના સહિત રોકડ રકમની ચોરી

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં તસ્કરોને જાણે પોલીસનો કોઈ ડર ન હોય તેમ એક બાદ એક ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે

X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં તસ્કરોને જાણે પોલીસનો કોઈ ડર ન હોય તેમ એક બાદ એક ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે, ત્યારે અંકલેશ્વર શહેરના સુરતી ભાગોળ વિસ્તારમાંથી પણ ચોરી થવાની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં પરિવાર મકાનના ઉપરના રૂમમાં મીઠી નીંદર માણી રહ્યો હતો, તે દરમ્યાન તસ્કરોએ મકાનના નીચેના રૂમમાં ચોરીને અંજામ આપ્યો હતો, જ્યાં દરવાજાનો નકૂચો તોડી તસ્કરોએ મકાનમાં પ્રવેશ કર્યો હતો. જે બાદ તિજોરીમાં રહેલ સોના-ચાંદીના દાગીના સહિત રોકડ રકમ હાથે લાગી જતાં હાથફેરો કર્યો હતો. તસ્કરો દાગીના સહિતનો મુદ્દામાલ લઈને ફરાર થઈ ગયા હતા. જોકે, સવારે પરિવાર ઊંઘમાંથી ઉઠતાં જ મકાનમાં ચોરી થઈ હોવાનું માલૂમ પડતાં તેઓના હોશ ઊડી ગયા હતા. મકાનમાં રહેલી તિજોરી સહિતનો સામાન વેરવિખેર જણાતા ચોરી થઈ હોવા અંગે મકાન માલિકે અંકલેશ્વર શહેર એ’ ડિવિઝન પોલીસ મથકે જાણ કરી હતી, ત્યારે ચોરીના બનાવ અંગે પોલીસે તપાસનો દૌર શરૂ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

Next Story