અંકલેશ્વર : જયાબેન મોદી હોસ્પિટલ-એશિયન પેઈન્ટ કંપનીના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક આંખ રોગ નિદાન કેમ્પ યોજાયો

જયાબેન મોદી મલ્ટીસ્પેશયાલિટી હોસ્પિટલ અને એશિયન પેઈન્ટ કંપનીના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક આંખ રોગ નિદાન અને સારવાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
અંકલેશ્વર : જયાબેન મોદી હોસ્પિટલ-એશિયન પેઈન્ટ કંપનીના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક આંખ રોગ નિદાન કેમ્પ યોજાયો

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની શ્રીમતી જયાબેન મોદી મલ્ટીસ્પેશયાલિટી હોસ્પિટલ અને એશિયન પેઈન્ટ કંપનીના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક આંખ રોગ નિદાન અને સારવાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી જયાબેન મોદી મલ્ટીસ્પેશયાલિટી હોસ્પિટલ અને એશિયન પેઈન્ટ કંપનીના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક આંખ રોગ નિદાન અને સારવાર શિબિરનું આયોજન કરવામાં આવ્યંત હતું. આ કેમ્પમાં આંખ સંબધિત સમસ્યાઓ જેવી કે, મોતિયો, વેલ, છારી જામી જવી, જાખું દેખાવવું, આંખ લાલ થઈ જવી, આંખમાંથી પાણી નીકળવું, આંખમાં ખંજવાળ આવવી, કીકી ઉપર સફેદ ફૂલ પડી જવું સહિત આંખને લગતી વિવિધ સમસ્યાઓ અંગે તપાસ કરવામાં આવી હતી. ઉપરાંત દર્દીઓને આંખના નંબર તપાસી વિનામુલ્યે ચશ્માનું વિતરણ પણ કરાયું હતું. સવારથી આયોજિત નિઃશુલ્ક આંખ રોગ નિદાન અને સારવાર શિબિરમાં અંદાજે 700થી વધુ જરૂરિયાતમંદોએ લાભ લીધો હતો. આ પ્રસંગે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી ટ્રસ્ટના સભ્યો, શ્રીમતી જયાબેન મોદી મલ્ટીસ્પેશયાલિટી હોસ્પિટલનો તબીબ સ્ટાફ અને એશિયન પેઈન્ટ કંપનીના પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

અંકલેશ્વરથી વાલિયા-નેત્રંગને જોડતા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, કોંગ્રેસે આંદોલનની ચીમકી ઉચ્ચારી

ભરૂચના નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે જવાબદાર એજન્સી સહિતના અધિકારીઓ સામે પગલાં ભરવા માંગ કરવામાં આવી છે.

New Update
  • અંકલેશ્વરથી નેત્રંગને જોડતા માર્ગની કામગીરી

  • રૂ.55 કરોડના ખર્ચે માર્ગનું થઈ રહ્યું છે નિર્માણ

  • માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ

  • કોંગ્રેસ દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચરાય

  • કોર્ટ કેસની પણ ચીમકી

ભરૂચના નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે જવાબદાર એજન્સી સહિતના અધિકારીઓ સામે પગલાં ભરવા માંગ કરવામાં આવી છે.
ભરૂચના વાલિયા તાલુકાના સહકારી આગેવાન અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપસિંહ માંગરોલા બાદ નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરી અધિકારીઓ અને કોન્ટ્રાકટરની મિલી ભગતથી હલકી ગુણવત્તાની કરવામાં આવતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.અંકલેશ્વર-વાલિયા અને નેત્રંગને જોડતો રાજ્ય ધોરીમાર્ગ નંબર-13 પ્રથમ વરસાદે જ બિસ્માર બન્યો છે.ઠેરઠેર ખાડાઓ અને માર્ગ તૂટી ગયો હોવાથી તેમાં યોગ્ય સામગ્રી વાપરવા નહીં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
ભરૂચ જિલ્લામાં મનરેગા કૌભાંડ સામે આવ્યું છે.તે રીતે 55 કરોડના ખર્ચે બની રહેલ નેત્રંગ-અંકલેશ્વર માર્ગમાં ભ્રષ્ટાચાર થયો હોવા સાથે અધિકારી,કોન્ટ્રાકટર સહિત લાગતા વળતા વિભાગના મંત્રીનો હાથ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.જો આ કામગીરી સારી ગુણવત્તાની નહીં કરવામાં આવે તો તાળાબંધીની ચીમકી ઉચ્ચારવામા આવી છે.અને  માર્ગનું નિર્માણ કરનાર શિવાલય ઈંફાસ્ટ્રક્ચર એજન્સી તેમજ અધિકારી સામે કોર્ટ કેસ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામા આવી છે.