યુગાન્ડામાં વીજળી પડવાથી 14 લોકોના મોત,પ્રાર્થના દરમિયાન થયો અકસ્માત
યુગાન્ડામાં શરણાર્થી શિબિરમાં વીજળી પડતાં 14 લોકોનાં મોત નીપજ્યાં છે અને 34 લોકો ઘાયલ થયા છે. આ ઘટના ત્યારે બની જ્યારે શરણાર્થીઓ પ્રાર્થના માટે એકઠા થયા હતા. મોટાભાગના પીડિતો દક્ષિણ સુદાનના શરણાર્થીઓ છે.