Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : એજ્યુકેશન પોલિસીના 3 વર્ષની ઉજવણીના ભાગરૂપે કેન્દ્રીય વિદ્યાલય-ONGC ખાતે પત્રકાર પરિષદ યોજાય...

દેશમાં 1250 જેટલી કેન્દ્રીય વિદ્યાલયોમાં 14 લાખથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, તેવામાં કેન્દ્રીય વિદ્યાલયમાં એજ્યુકેશન પોલિસીના ૩ વર્ષની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે

અંકલેશ્વર : એજ્યુકેશન પોલિસીના 3 વર્ષની ઉજવણીના ભાગરૂપે કેન્દ્રીય વિદ્યાલય-ONGC ખાતે પત્રકાર પરિષદ યોજાય...
X

કેન્દ્રીય વિદ્યાલય સંગઠન દ્વારા શૈક્ષણિક વર્ષ 1963-64થી 20 શાળાઓ શરૂ કરવામાં આવી હતી. જે આજે સમગ્ર દેશમાં 1250 જેટલી કેન્દ્રીય વિદ્યાલયો કાઠમંડુ, મોસ્કો અને તેહરાન મળી 1253 વિદ્યાલયો કાર્યરત છે, ત્યારે અંકલેશ્વર ONGC કોલોની ખાતે આવેલ કેન્દ્રીય વિદ્યાલયમાં એજ્યુકેશન પોલિસીના ૩ વર્ષની ઉજવણીના ભાગરૂપે પત્રકાર પરિષદ યોજાય હતી.

દેશમાં 1250 જેટલી કેન્દ્રીય વિદ્યાલયોમાં 14 લાખથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, તેવામાં કેન્દ્રીય વિદ્યાલયમાં એજ્યુકેશન પોલિસીના ૩ વર્ષની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે અંકલેશ્વર ONGC કોલોની ખાતે આવેલ કેન્દ્રીય વિદ્યાલય ખાતે એજ્યુકેશન પોલિસીના ૩ વર્ષની ઉજવણીના ભાગરૂપે પત્રકાર પરિષદ યોજાય હતી. જેમાં કેન્દ્રીય વિદ્યાલયના આચાર્ય દ્વારા કેન્દ્ર સરકારની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અન્વયે 21મી સદીની જરૂરિયાત પ્રમાણે વ્યાપક રીતે બહુવિધ શિક્ષણ અંગે માહિતી પુરી પાડવામાં આવી હતી. કેન્દ્ર સરકારની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અન્વયે 21મી સદીની જરૂરિયાત પ્રમાણે વ્યાપક રીતે બહુવિધ શિક્ષણ દ્વારા વાયબ્રન્ટ નોલેજ સોસાયટી અને જ્ઞાન મહાસત્તામાં રૂપાંતરિત કરવાંનુ આહવાન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું છે. જેના ભાગરૂપે આજે એજ્યુકેશન પોલિસીના 3 વર્ષને મનાવવામાં આવી રહ્યું છે. આ સેલિબ્રેશન પોલિસીની સમજ માટે અંકલેશ્વર ONGC સ્થિત કેન્દ્રીય વિદ્યાલય ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓને સામાન્ય ગોખણપટ્ટી અભ્યાસ કરતા અન્ય સાદી સમજ તેમજ સાંપ્રત સમય અનુરૂપ અભ્યાસ કરવા બાબતે, વિદ્યાર્થીઓની પ્રવેશ માટેની ઉંમરનું પુનઃ માળખું રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, શિક્ષણશાસ્ત્રીની પ્રકૃતિ અને અભ્યાસક્રમની આવશ્કયતાના આધારે પાયાના તબક્કાના 5 વર્ષ જેમાં પ્રારંભિક સ્ટેજ ધોરણ 3થી 5માં 3 વર્ષથી મિડલ સ્ટેજ અને 4 વર્ષ સેકન્ડરીની ભલામણ કરવામાં આવી છે.

Next Story