અંકલેશ્વર : “તમારો દીકરો, તમારે દ્વાર” અભિયાન અંતર્ગત AAPના ઉમેદવાર ચૈતર વસાવાએ યોજી સંકલન બેઠક...

લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થતાં જ હવે તમામ પક્ષના ઉમેદવરો ચૂંટણી પ્રચારના કામે લાગી ગયા છે.

New Update
અંકલેશ્વર : “તમારો દીકરો, તમારે દ્વાર” અભિયાન અંતર્ગત AAPના ઉમેદવાર ચૈતર વસાવાએ યોજી સંકલન બેઠક...

લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થતાં જ હવે તમામ પક્ષના ઉમેદવરો ચૂંટણી પ્રચારના કામે લાગી ગયા છે, ત્યારે ભરૂચ લોકસભા બેઠક પર ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા દ્વારા 21 દિવસ સુધી સ્વાભિમાન યાત્રા યોજાય હતી. ચૈતર વસાવાની સ્વાભિમાન યાત્રાને સમગ્ર જીલ્લામાં સારો પ્રતિસાદ સાંપડ્યો હતો. જોકે, હવે ચૂંટણી માટે લોક સમર્થન મેળવવા ચૈતર વસાવા દ્વારા “તમારો દીકરો તમારે દ્વાર” અભિયાન અંતર્ગત અંકલેશ્વર શહેરના ભરૂચિ નાકા સ્થિત જલારામ મંદિર ખાતે અંકલેશ્વર તાલુકા કોંગ્રેસ સમિતિ અને આમ આદમી પાર્ટીની સંકલન બેઠક મળી હતી. જેમાં ભરૂચ બેઠક પર ભવ્ય જીત મેળવવા માટે આમ આદમી પાર્ટી દ્વારા રણનીતિ યોજી વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ સાથે જ ભરૂચ ભાજપ બેઠકના ઉમેદવાર મનસુખ વસાવા પર ચૈતર વસાવાએ શાબ્દિક પ્રહારો કર્યા હતા. ઉપરાંત તેઓએ ભરૂચ જિલ્લાના ખેડૂતોની જમીન સંપાદન મુદ્દે સરકારને પણ આડે હાથ લીધી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં અંકલેશ્વર તાલુકા કોંગ્રેસ સમિતિ અને આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

ભરૂચ: ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ONE NATION, ONE ELECTION અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજાશે

ભરૂચ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા તારીખ 21મી જૂનના રોજ “ONE NATION, ONE ELECTION” વિષયક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

New Update
  • ભરૂચમાં યોજાશે જનજાગૃતિ કાર્યક્રમ

  • ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજન

  • એક રાષ્ટ્ર એક ચૂંટણી અંગે કરાશે ચર્ચા

  • આત્મીય હોલ ખાતે આયોજન

  • સમાજવિદ ડો.અનિલ પટેલ આપશે હાજરી

ભરૂચ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા તારીખ 21મી જૂનના રોજ “ONE NATION, ONE ELECTION” વિષયક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
ભરૂચ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા “One Nation, One Election” જેવી મહત્વપૂર્ણ સંકલ્પનાને જોતા શહેરીજનોમાં જાગૃતિ ફેલાવવા માટે વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમ તા. ૨૧ જૂન ૨૦૨૫, શનિવારે સાંજે ૪:૩૦ કલાકે ભરૂચના કોલેજ રોડ સ્થિત આત્મીય હોલ ખાતે યોજાશે.કાર્યક્રમમાં પ્રખ્યાત સમાજવિદ ડૉ. અનિલ પટેલ "એક રાષ્ટ્ર, એક ચૂંટણી" વિષય પર  વિચારવિમર્શ રજૂ કરશે. દેશની ચૂંટણી પ્રણાલીને વધુ સશક્ત અને વ્યવસ્થિત બનાવવાની દિશામાં વિચારણા ચાલી રહી છે.આ કાર્યક્રમ અંગે પત્રકારોને માહિતગાર કરવા આજે હોટલ રિજન્ટા ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી. પત્રકાર પરિષદની અધ્યક્ષતા ભરૂચ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ  કિરણ મજમુદાર દ્વારા કરવામાં આવી હતી. સાથે  અનિષ પરીખ સહિત સંસ્થાના વિવિધ હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.