Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર એનિમલ લવર્સ ગ્રુપ દ્વારા રામકુંડ ખાતે રામનવમી નિમિતે રામ તુલસીના રોપાનું વિતરણ કરાયું

વિનામૂલ્યે રામ તુલસીના રોપાનું વિતરણ

X

અંકલેશ્વર એનિમલ લવર્સ ગ્રુપ દ્વારા રામનવમી નિમિતે રામકુંડ તીર્થધામ ખાતે 1008 રામ તુલસી ના રોપા નું વિના મુલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું રામકુંડ ખાતે ભગવાન શ્રીરામ ના દર્શનાર્થે આવતા ભક્તો માં તુલસી નું વિતરણ કરાયું હતું.

અંકલેશ્વર ના પૌરાણીક તીર્થધામ રામકુંડ ખાતે શ્રી રામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. રામ નવમી નિમિતે અંકલેશ્વર ના એનિમલ લવર્સ ગ્રુપ દ્વારા રામકુંડ તીર્થધામ ખાતે વિનામૂલ્યે રામ તુલસીના રોપાનું વિતરણ નું આયોજન કરવામાં આવ્યું હતું .

એનિમલ લવર્સ ગ્રુપ દ્વારા રામકુંડ ખાતે પ્રભુ શ્રી રામના દર્શનાર્થે આવતા ભક્તોમાં 1008 જેટલા રામતુલસીના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે એનિમલ લવર્સ ગ્રુપના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story