Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : APMCના નવા ચેરમેન તરીકે મુકેશ પટેલ અને વાઇસ ચેરમેન પદે ઠાકોર પટેલની નિયુક્તિ

ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના નવા ચેરમેન તરીકે મુકેશ પટેલ અને વાઇસ ચેરમેન પદે ઠાકોર પટેલની નિયુક્તિ કરવામાં આવી હતી.

X

ભરૂચ જિલ્લાની અંકલેશ્વર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના નવા ચેરમેન તરીકે મુકેશ પટેલ અને વાઇસ ચેરમેન પદે ઠાકોર પટેલની નિયુક્તિ કરવામાં આવી હતી.

અંકલેશ્વર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની સામાન્ય ચૂંટણી અન્વયે નવા ચેરમેન અને વાઇસ ચેરમેનની નિયુક્તિ કરવામાં આવી હતી. આ દરમ્યાન સબ રજીસ્ટ્રાર નીલમ ચાવડાએ ચૂંટણી અધિકારી તરીકે ખેતીવાડી બજાર ઉત્પન્ન સમિતિના નવા ચેરમેન તરીકે મુકેશ કરસન પટેલ અને વાઇસ ચેરમેન તરીકે ઠાકોર કિલાભાઈ પટેલની નિયુક્તિ કરવામાં આવી હતી. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ 1953માં બનવામાં આવી હતી. જેના સૌપ્રથમ ચેરમેન તરીકે રેવાશંકર દુર્લભભાઈ પટેલ નિયુક્ત થયા હતા. મોહન બેચર પટેલનાઓ 10વર્ષ સુધી ચેરમેન તરીકે રહ્યા હતા. સૌથી વધારે ચેરમેન પદે રહેનાર કરસનભાઈ ગુમાનભાઈ પટેલ સતત 23 વર્ષ સુધી ચેરમેન તરીકે ચુંટાઈ આવ્યા હતા. આજે તેમના પુત્ર મુકેશ પટેલ ચેરમેન બનતા પરિવારજનો, ખેડૂત પ્રતિનિધિઓ તેમજ નામી અનામી આગેવાનોએ શુભેચ્છાઓ પાઠવી હતી.

Next Story