Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : અયોધ્યા રામોત્સવની ઉજવણીના ભાગરૂપે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ દ્વારા યોજાય ભવ્ય શોભાયાત્રા...

આગામી તા. 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામની પ્રતિમાનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે

X

આગામી તા. 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામની પ્રતિમાનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે, ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC વિસ્તાર સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલય દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

અયોધ્યાનગરીમાં નિર્માણ પામેલ ભવ્ય મંદિરમાં ભગવાન શ્રીરામ બિરાજમાન થવાના હોય જેથી સમગ્ર દેશમાં ભારે ઉત્સાહનો માહોલ છવાયો છે, ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC વિસ્તાર સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલય દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રા શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલયથી સરદાર પાર્ક, ગોલ્ડન પોઇન્ટ, સાવન ચોકડી, પરમભૂમિ પાર્ટી પ્લોટથી સરદાર ભવન તરફના માર્ગે થઈ પરત શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલય ફરી હતી. આ શોભાયાત્રા દરમ્યાન ભગવાન શ્રીરામ, જાનકી, લક્ષ્મણ અને હનુમાન બિરાજિત રથનું સૌકોઈ રામભક્તોએ પુષ્પવર્ષા કરી ભવ્ય સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો-મહંતો, શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલય પરિવાર સહિત મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story