Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની ઉપસ્થિતિમાં વિધાનસભા સંકલન બેઠક યોજાય...

ભરૂચિ નાકા સ્થિત જલારામ મંદિરના હોલમાં નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની ઉપસ્થિતિમાં વિધાનસભા સંકલન બેઠક યોજાય હતી.

X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના ભરૂચિ નાકા સ્થિત જલારામ મંદિરના હોલમાં નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની ઉપસ્થિતિમાં વિધાનસભા સંકલન બેઠક યોજાય હતી.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના ભરૂચિ નાકા સ્થિત જલારામ મંદિરના હોલ ખાતે આમ આદમી પાર્ટીની વિધાનસભા સંકલન બેઠકનું આયોજન નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની ઉપસ્થિતિમાં કરાયું હતું. જેમાં સંગઠનને કેવી રીતે વધુ મજબૂત કરવું તેમજ ચૂંટણીલક્ષી તૈયારીઓ વિષે ચર્ચા કરવામાં આવી હતી. આગામી ભરૂચ લોકસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીના ઝઘડીયા, વાલિયા તેમજ નેત્રંગ તાલુકાના કાર્યકર્તાઓએ ગામે ગામ જઈ વધુમાં વધુ આમ આદમી પાર્ટીને મત આપવા માટે મહેનત કરવા ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું. લોકસભાની ચૂંટણીમાં સામે કોઈપણ ઉમેદવાર હોય પરંતુ ચૈતર વસાવાની જ જીત થશે તેવો પણ આશાવાદ વ્યક્ત કર્યો હતો. સમગ્ર વિધાનસભા સંકલન બેઠક દરમ્યાન મોટી સંખ્યામાં ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story