અંકલેશ્વર: વકફ બોર્ડનો ડુપ્લીકેટ હુકમ પત્ર રજૂ કરી છેતરપિંડી આચરનાર 5 શખ્સોની બી ડિવિઝન પોલીસે કરી અટકાયત
અંકલેશ્વર બી ડીવીઝન પોલીસ મથકના છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલ પાંચ ઇસમોને પોલીસે ઝડપી પાડ્યા હતા
BY Connect Gujarat Desk3 April 2024 7:53 AM GMT
X
Connect Gujarat Desk3 April 2024 7:53 AM GMT
અંકલેશ્વર બી ડીવીઝન પોલીસ મથકના છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલ પાંચ ઇસમોને પોલીસે ઝડપી પાડ્યા હતા
ભરૂચ જિલ્લા પોલીસે વડા મયુર ચાવડા અને ડી.વાય.એસ.પી ડો.કુશલ ઓઝા દ્વારા જીલ્લામાં ચાલતી અસામાજીક પ્રવુતીઓ ચલાવતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી ક૨વા આપેલ સૂચનાને આધારે અંકલેશ્વર બી ડીવીઝન પી.આઈ વી.કે.ભુતીયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ખોટો બનાવટી પત્ર બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરી છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલ ઇસમો જીતાલી ગામમાં ફરી રહ્યા છે.જેવી બાતમીના આધારે બી ડિવિઝન પોલીસે વોચ ગોઠવી જીતાલી મોટા ફળિયામાં રહેતો મહમદ અહમદ ઇસ્માઇલ ઉમર ઉર્ફે ભાણા,શાહજહાં અહમદ હસનજી ભાણા અને યુસુફ મહમદ અહમદ ઇસ્માઈલ ઉમર તેમજ વસીમ અકરમ હનીફ મહમદ પટેલ,મહમદ અહમદ હરસનજી પટેલ ઉર્ફે લાલાને ઝડપી પાડ્યો હતો
Next Story