અંકલેશ્વર: મોતાલી પાટિયા નજીક અજાણ્યા વાહનની અડફેટે બાઇક સવાર યુવાનનુ મોત,પોલીસે તપાસ શરૂ કરી

હાઇવે પર મોતાલી પાટિયા પાસે અજાણ્યા વાહનના ચાલકે બાઈકને ટક્કર મારતા ગંભીર ઈજાઓને પગલે બાઈક સવારનું કમકમાટી ભર્યું મોત નિપજયુ હતુ

New Update
અંકલેશ્વર: મોતાલી પાટિયા નજીક અજાણ્યા વાહનની અડફેટે બાઇક સવાર યુવાનનુ મોત,પોલીસે તપાસ શરૂ કરી

અંકલેશ્વર નજીક હાઇવે પર મોતાલી પાટિયા પાસે અજાણ્યા વાહનના ચાલકે બાઈકને ટક્કર મારતા ગંભીર ઈજાઓને પગલે બાઈક સવારનું કમકમાટી ભર્યું મોત નિપજયુ હતુ

Advertisment

કાલોલ તાલુકાના મેદા પૂર ગામમાં રહેતા ૪૨ વર્ષીય સિદ્ધરાજસિંહ વિક્રમસિંહ સોલંકી ગત રાત્રે કાલોલથી અંકલેશ્વર પોતાની બાઈક ઉપર અંકલેશ્વર આવી રહ્યા હતા તે દરમ્યાન હાઇવે સ્થિત મોતાલી પાટિયા પાસે અજાણ્યા વાહને ટક્કર મારતા તેઓ બાઈક સાથે ફંગોળાય ગયા હતા તેઓને માથા તેમજ શરીર ના ભાગે અંત્યંત ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે જ તેમનું પ્રાણ પંખેરુ ઉડી ગયુ હતુ. બનાવ અંગેની જાણ થતા અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી તેમજ મૃતદેહનો કબ્જો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે અંકલેશ્વર ડીસ્પેન્સરી ખાતે ખસેડી હતી. પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisment
Latest Stories