Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર ખાતે રક્તદાન તેમજ નેત્ર અને દંત ચિકિત્સા શિબિર યોજાઈ હતી, 500થી વધુ લોકોએ લીધો લાભ

BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે અંકલેશ્વર શ્રી સાબરકાંઠા -અરવલ્લી મિત્રમંડળ દ્વારા રક્તદાન શિબિર તેમજ નેત્ર અને દંત ચિકિત્સા તેમજ ફિઝિયોથેરાપી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

અંકલેશ્વર : બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર ખાતે રક્તદાન તેમજ નેત્ર અને દંત ચિકિત્સા શિબિર યોજાઈ હતી, 500થી વધુ લોકોએ લીધો લાભ
X

અંકલેશ્વર જીઆઇડીસી ખાતે આવેલા બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર ખાતે અંકલેશ્વર શ્રી સાબરકાંઠા -અરવલ્લી મિત્રમંડળ દ્વારા રક્તદાન શિબિર તેમજ નેત્ર અને દંત ચિકિત્સા તેમજ ફિઝિયોથેરાપી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં મહેશ પટેલ, અલ્પેશ પટેલ, કલ્પેશ પટેલ, નરેન્દ્ર પટેલ, પ્રકાશ જોશી, આર એમ પટેલ, વિક્રમ પટેલ, પંકજ પટેલ સહીત સંસ્થાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. કેમ્પમાં 150થી વધુ રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. તેમ અંદાજે 500થી વધુ લોકો આંખ, દાંત તેમજ ફિઝિયોથેરાપી સેવાનો નિઃશુલ્ક લાભ લીધો હતો. નેત્ર નિદાન કેમ્પમાં સત કૈવલ આઈ હોસ્પિટલ સારસાપુરીની પ્રેરણાથી કરવામાં આવ્યો હતો. જેમાં મોતિયા તેમજ આંખના રોગની સારવાર અને નિઃશુલ્ક ઓપરેશન સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું. તો આંખ અને દાંતના નિષ્ણાંત તબીબ ડૉ. મયુર પટેલ, ડૉ. ચિંતન પટેલ, ડૉ.શિવાંગી પટેલ અને ડૉ. કૃપલ પટેલે માનદ સેવા આપી હતી.

Next Story