અંકલેશ્વર: પાનોલી જીઆઈડીસીમાં એથર કંપનીના ભૂમિપૂજન પ્રસંગે રક્તદાન શિબિર યોજાય,રેકોર્ડ બ્રેક 700 યુનિટ રક્ત એકત્રિત કરાયું.

પાનોલી જીઆઈડીસી ખાતે એથર પ્રા.લિમિટેડના ભુમીપુજન નિમિતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો જેમાં ૫૦૦ યુનિટ જેટલુ બ્લડ એકત્ર કરાયું હતુ.

New Update
અંકલેશ્વર: પાનોલી જીઆઈડીસીમાં એથર કંપનીના ભૂમિપૂજન પ્રસંગે રક્તદાન શિબિર યોજાય,રેકોર્ડ બ્રેક 700 યુનિટ રક્ત એકત્રિત કરાયું.

અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસી ખાતે એથર પ્રા.લિમિટેડના ભુમીપુજન નિમિતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો જેમાં ૫૦૦ યુનિટ જેટલુ બ્લડ એકત્ર કરાયું હતુ.

Advertisment

અંકલેશ્વરની પાનોલી ઔદ્યોગિક વસાહતમાં નિર્માણ પામનાર એથર પ્રા.લિમિટેડ કંપનીનું ભુમી પુજન થયુ હતુ. આ પ્રસંગે પાનોલી ઉદ્યોગ મંડળ તેમજ રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરના સહયોગથી બલ્ડડોનેશન કેમ્પનું આયોજન હાથ ધરાયું હતુ.જેમાં અંકલેશ્વરની કુમારપાળ બ્લડ બેન્કની ટીમે સેવા આપી હતી.આ કેમ્પ દરમ્યાન ૭૦૦ જેટલા સ્વૈચ્છીક રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું.આ પ્રસંગે પાનોલી ઉદ્યોગ મંડળના પ્રમુખ બી.એસ.પટેલ, પંકજ ભરવાડા, કિરણસિંહ પરમાર, એથર પ્રા. લિમિટેડ કંપનીના માલિક અશ્વિન પરમાર સહીત ઉદ્યોગ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisment
Read the Next Article

અંકલેશ્વર : સુરવાડી ગામે દસ દિવસથી વીજ પુરવઠો ખોરવાતા ખેડૂતોમાં રોષ,નિયમિત પાણી ન મળતા ઉભો પાક સુકાઈ જવાની ભીતી

સુરવાડી ગામમાં અનિયમિત વીજ પુરવઠાથી લોકો પરેશાન થઇ ગયા છે.જ્યારે એગ્રીકલ્ચર લાઈનમાં 8 કલાક મળતો વીજ પુરવઠો પણ ખોરવાય જતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો

author-image
By Connect Gujarat Desk
New Update
  • અનિયમિત વીજ પુરવઠાએ ખેડૂતોમાં ચિંતા વધારી

  • વીજળી ખોરવાતા સિંચાઇની સમસ્યા પણ ઘેરી બની

  • ખેતરમાં ઉભા પાકમાં પાણી આપવું બન્યું મુશ્કેલ

  • છેલ્લા દસ દિવસથી નથી મળી રહી વીજળી

  • ખેડૂતોની રજૂઆત બાદ પણ સમસ્યા યથાવત 

Advertisment W3.CSS

અંકલેશ્વર તાલુકાના સુરવાડી ગામ ખાતે છેલ્લા દસ દિવસથી વીજ પુરવઠો ખોરવાયો છે,જેના કારણે એગ્રીકલ્ચર લાઈનમાં 8 કલાક મળતી વીજળી પણ ખેડૂતોને મળી રહી નથી,અને ખેતર માં ઉભો પાક સુકાઈ જવાની ભીતી ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.

અંકલેશ્વર તાલુકાના સુરવાડી ગામમાં અનિયમિત વીજ પુરવઠાથી લોકો પરેશાન થઇ ગયા છે.જ્યારે એગ્રીકલ્ચર લાઈનમાં 8 કલાક મળતો વીજ પુરવઠો પણ ખોરવા જતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.ખેડૂતો દ્વારા આ અંગે દક્ષિણ ગુજરાત વીજ કંપની લી.ખાતે રજૂઆત  બાદ પણ તેઓની સમસ્યાનું કોઈજ નિરાકરણ આવ્યું નથી.ખેતરમાં ઉભા પાકમાં સિંચાઈ માટે પાણી પણ તેઓ વીજ પુરવઠાના અભાવે આપી શકતા નથી.ત્યારે ઉભો પાક સુકાઈ ન જાય તે માટે ખેડૂતો દ્વારા પ્લાસ્ટિકના ડબ્બાથી પાકમાં પાણી નાખવાની નોબત આવી છે.