Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર: ચૈતર વસાવાના હસ્તે ઇન્ડિયા ગઠબંધનના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન

અંકલેશ્વર શહેરના ત્રણ રસ્તા સર્કલ પાસે ઈન્ડિયા ગઠબંધનના મધ્યસ્થ કાર્યાલયનું ઉમેદવાર ચૈતર વસાવાના હસ્તે ઉદ્દઘાટન કરાયું.

X

અંકલેશ્વર શહેરના ત્રણ રસ્તા સર્કલ પાસે ઈન્ડિયા ગઠબંધનના મધ્યસ્થ કાર્યાલયનું ઉમેદવાર ચૈતર વસાવાના હસ્તે ઉદ્દઘાટન કરાયું.

લોકસભાની ચૂંટણીને પગલે વિવિધ રાજકીય પક્ષો દ્વારા મધ્યસ્થ કાર્યાલય શરૂ કરવામાં આવી રહ્યા છે.ત્યારે અંકલેશ્વર શહેરના ત્રણ રસ્તા સર્કલ પાસે અંકલેશ્વર-હાંસોટ વિધાનસભા મત વિસ્તાર માટે ઈન્ડિયા ગઠબંધનના મધ્યસ્થ કાર્યાલયનું ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાના હસ્તે રીબીન કટિંગ કરી ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે કોંગ્રેસ-આપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે ભરૂચ લોકસભા બેઠક હેઠળ આવતા મોટાભાગના તમામ તાલુકા મથક ખાતે મધ્યસ્થ કાર્યાલયનો પ્રારંભ કરાયો છે જ્યાં સમયાંતરે જઈ લોક સંપર્ક કરવામાં આવશે

Next Story