Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : જયાબેન મોદી હોસ્પિટલ ખાતે કેક કાપી ડોક્ટર્સ-ડેની ઉજવણી કરાય...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર સ્થિત શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ડોક્ટર્સ-ડેની ઉજવણી કરવામાં આવી હતી.

X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર સ્થિત શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ડોક્ટર્સ-ડેની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં હોસ્પિટલના ડાયરેક્ટર સહિત તમામ તબીબી સ્ટાફ જોડાયો હતો.

ભગવાન પછી જો કોઈની પાસેથી આશા હોય તો તે તબીબ હોય છે. હકીકતમાં બીમારીમાં ભગવાનનું નામ પછી યાદ આવે છે, પહેલા માત્ર ડૉક્ટર જ યાદ આવે છે. આકસ્મિક કંઈક થાય તો તબીબ ખૂબ નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ બજાવે છે. આજે તા. 1 જુલાઈના રોજ ડોક્ટર્સ-ડે તરીકે ઉજવણી કરવામાં આવે છે, ત્યારે અંકલેશ્વરના જીઆઇડીસી વિસ્તાર સ્થિત શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ડોક્ટર્સ-ડેની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં તમામ ડોક્ટરોએ ડોક્ટર્સ-ડે નિમિત્તે કેક કાપી એકબીજાનું મોઢું મીઠું કરાવી ઉજવણી કરી હતી. આ પ્રસંગે હોસ્પીટલના ડાયરેક્ટર આતમી ડેલીવાલા, ડોક્ટર જયપાલસિંહ ગોહિલ, ડોક્ટર હરેશ શાહ સહિત તમામ તબીબ તેમજ નર્સિંગ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

Next Story