Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર: ઉટીયાદરા ગામની સીમમાં દારૂડીયા મિત્રોએ જ મિત્રની કરી હત્યા, હત્યા બાદ મૃતદેહ નહેરમાં ફેંકી દીધો

તાલુકાના ઉટીયાદરા ગામની સીમમાં અગાઉ થયેલા ઝઘડાની રિષ રાખીને એક સગીર અને એક ઇસમે તેના જ મિત્રને મોતને ઘાટ ઉતારી દીધો હતો.

X

અંકલેશ્વર તાલુકાના ઉટીયાદરા ગામની સીમમાં અગાઉ થયેલા ઝઘડાની રિષ રાખીને એક સગીર અને એક ઇસમે તેના જ મિત્રને મોતને ઘાટ ઉતારી દીધો હતો. જે ગુનાનો ભેદ પાનોલી પોલીસ અને LCBની ટીમે ગણતરીના દિવસોમાં ઉકેલી નાખી સગીર અને ઈસમને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગત 8 મી ફેબ્રુઆરીના રોજ અંકલેશ્વર તાલુકાના ઉટીયાદરા ગામની સીમમાં આવેલા અશ્વીન પટેલના ખેતર નજીક જમણા કાંઠાની નહેરના કુવામાં 20 વર્ષીય અભય નટવરભાઇ પરમારની કપાળના ભાગે તથા માથાના વચ્ચેના ભાગે ગંભીર ઇજાઓ કરી, પગમાં દોરડા વડે બાંધી, કુવામાં ઉલટી હાલતમાં હત્યા કરેલી લાશ મળી આવી હતી. જેનો પાનોલી પોલીસે હત્યાનો ગુનો નોંધીને હત્યારાઓને ઝડપી પાડવાની કવાયત શરૂ કરી હતી. મરણ જનાર અભય નટવરભાઇ પરમાર છેલ્લે તારીખ 7મી ફેબ્રુઆરી 2023ના રાત્રીના કલાક 10:30 વાગ્યાની આસપાસ એકટીવા ઉપર ત્રણેય મિત્રો સાથે કોસંબા તરસાલીથી ઉટીયાદરાગામ કેનાલ તરફ જતા રોડ ઉપર જોવા મળ્યો હતો.

જેથી પોલીસે શંકાસ્પદ 6 ઇસમોને શોધી કાઢી તમામની યુકતિ પ્રયુકતિ પુર્વક પુછપરછ કરતા બે ઇસમો, જેમાંથી એક કિશોર તથા એક ઇસમ જયમીન વસાવા ભાંગી પડયો અને પોતે તથા કિશોર સાથે મળી હત્યાના ગુનાને અંજામ આપ્યો હોવાનુ સ્વીકાર્યું હતું. તેમના જણાવ્યા મુજબ આ ત્રણેય મીત્રો નશો કરવાની ટેવ ધરાવતા હતાં. જેથી 7 મી ફેબ્રુઆરીએ કોસંબા દાદરી ખાતે જયમીન વસાવાની સાસરીમાં ઘરે મૃતક અભય પરમાર નશો કરેલી હાલતમાં આવ્યો હતો. જયાં બંને મિત્રો સાથે બોલાચાલી અને ઝધડો થયા બાદમાં સમાધાન કર્યું હતું. જોકે કિશોર અને જયમીન વસાવાએ ઝધડાની રીસ રાખી અભયને વધુ નશો કરવાની લાલચ આપી. જયમીનની એકટીવા ઉપર ત્રણેય ઉંટીયાદરા ગામની સીમમાં આવેલા જ્યાં અભય પરમારને વધુ નશો કરાવી નજીકમાંથી દોરડું લાવી પગ બાંધી કૂવામાં ઊંધો લટકાવી પથ્થરો મારીને મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયા હતા. પોલીસે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Next Story