Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : જલધારા ચોકડી નજીક બહુમાળી બિલ્ડીંગના બીજા માળે લાગી આગ, ફાયર ફાઇટરો દોડ્યા

જીઆઇડીસી વિસ્તારમાં આવેલ એક બહુમાળી બિલ્ડીંગના બીજા માળે અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં આવેલ એક બહુમાળી બિલ્ડીંગના બીજા માળે અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં જલધારા ચોકડી નજીક જલધારા પેઢીના બહુમાળી બિલ્ડીંગમાં આવેલ બ્લોક નંબર બી/1ના બીજા માળે અચાનક આગ ફાટી નીકળી હતી, ત્યારે આગ લાગતાં જ સ્થાનિકોમાં ભારે નાસભાગ મચી જવા પામી હતી. ઉપરાંત મકાનની બારી અને દરવાજામાંથી ધુમાડાના ગોટેગોટા જોવા મળતા લોકોમાં ભયનો માહોલ પણ સર્જાયો હતો. બનાવની જાણ થતાં જ અંકલેશ્વર જીઆઇડીસી નોટિફાઇડ એરિયાના ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા, જ્યાં ફાયર ફાઇટરો પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જોકે, સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ નહીં થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Next Story