Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : જે.બી.કેમિકલ્સ કંપની તરફથી જે.બી.મોદી કેન્સર હોસ્પિટલને રૂ. 50 લાખનું અનુદાન અર્પણ કરાયું...

જે.બી. કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ કંપની તરફથી જે.બી. મોદી કેન્સર હોસ્પિટલને રૂપિયા 50 લાખનું અનુદાન અર્પણ કરી લોકસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે.

X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે જે.બી. કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ કંપની તરફથી જે.બી. મોદી કેન્સર હોસ્પિટલને રૂપિયા 50 લાખનું અનુદાન અર્પણ કરી લોકસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે.

અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ સોસાયટી સંચાલિત જે.બી. મોદી કેન્સર સેન્ટર ડિવિઝન ઓફ શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ જે.બી. કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ કંપની તરફથી રૂપિયા 25 લાખનું અનુદાન કેન્સર સેન્ટરના ઉદ્ઘાટન પ્રસંગે, જ્યારે આજરોજ વધુ રૂપિયા 25 લાખનું અનુદાન અર્પણ કરી લોકસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. ભરૂચ અને નર્મદા જિલ્લામાં કેન્સર માટેની સુવિધા પૂરી પાડતું એકમાત્ર સેન્ટર જે.બી. મોદી કેન્સર સેન્ટર છે, જેમાં રેડિયો થેરાપી, કેમોથેરાપી તેમજ કેન્સર સર્જરીને લગતી તમામ સુવિધા ઉપલબ્ધ છે. આયુષ્માન ભારત યોજના જેવી સુવિધા પણ આ હોસ્પિટલમાં ઉપલબ્ધ હોવાથી અહી આવતા દર્દીઓને મોટી રાહત મળી રહી છે. લોકોના સ્વાસ્થ્ય ક્ષેત્રે જે.બી. કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ કંપની તરફથી જે.બી. મોદી કેન્સર સેન્ટરને રૂપિયા 50 લાખનું અનુદાન આપવામાં આવ્યું હતું, ત્યારે આ પ્રસંગે જે.બી. કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલના સીઇઓ નિખિલ ચોપરા, પ્રમુખ ભરત ધાનાણી સહિતના મહનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story