અંકલેશ્વર: ગાના મ્યુઝિક લવર્સ ગ્રુપ દ્વારા શનિવારે રાતે યોજાશે તોફાની વાયરા-5 કાર્યક્રમ,ગીત સંગીતનો રસથાળ થશે રજૂ
સંગીત પ્રેમીઓ માટે અંકલેશ્વર ઓદ્યોગીક વસાહતમાં ગાના મ્યુઝિક લવર્સ ગ્રુપ કાર્યરત છે. આ ગ્રુપ દ્વારા સંગીતને લગતા અનેક કાર્યક્રમો કરવામાં આવે છે
BY Connect Gujarat Desk6 Sep 2022 9:34 AM GMT
X
Connect Gujarat Desk6 Sep 2022 9:34 AM GMT
સંગીત પ્રેમીઓ માટે અંકલેશ્વર ઓદ્યોગીક વસાહતમાં ગાના મ્યુઝિક લવર્સ ગ્રુપ કાર્યરત છે. આ ગ્રુપ દ્વારા સંગીતને લગતા અનેક કાર્યક્રમો કરવામાં આવે છે ત્યારે શનિવાર તારીખ 10મી સપ્ટેમ્બરના રોજ પણ અનોખો કાર્યક્રમ યોજાવા જઈ રહયો છે. કોરોના મહામારી બાદ લોકો રોજિંદા જીવનમાં પરત ફર્યા છે ત્યારે ગાના મ્યુઝિક લવર્સ ગ્રુપ દ્વારા શનિવારના રોજ રાતે 8.30 કલાકથી જીઆઈડીસીમાં આવેલ ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે તોફાની વાયરા-5 નામનો કાર્યક્રમ યોજાશે જેમાં વરસાદી મૌસમને આધારિત સમૂહ તેમજ સોલો ગીત રજૂ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ભરુચ જિલ્લા પોલીસ વડા ડો.લીના પાટિલ અને અતિથિ વિશેષ તરીકે પ્રાંત અધિકારી નૈતિકા પટેલ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમનો લાભ લેવા સૌ સંગીતપ્રેમી જનતાને આયોજકો દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે
Next Story