Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર: જયાબહેન મોદી હોસ્પિટલને આરોગ્યલક્ષી સેવા માટે રૂ.86લાખનું અનુદાન

જયાબેન મોદી હોસ્પિટલ ખાતે એસ્કે આયોડિન પ્રાઇવેટ લિમિટેડ અને ક્રાઇશો હોટેલ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા કુલ રૂપિયા ૮૬ લાખનું અનુદાન આપવામાં આવ્યું હતું

X

અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખાતે એસ્કે આયોડિન પ્રાઇવેટ લિમિટેડ અને ક્રાઇશો હોટેલ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા કુલ રૂપિયા ૮૬ લાખનું અનુદાન આપવામાં આવ્યું હતું

ભરૂચની ઝઘડિયા જી.આઈ.ડી.સી.માં આવેલ એસ્કે આયોડિન પ્રાઇવેટ લિમિટેડના સીએસઆર ફંડમાંથી સુનિલ શારદાજીના જન્મ દિવસ નિમિતે કલેક્ટર તુષાર સુમેરાની ખાસ ઉપસ્થિતિમાં અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલને નવા આઈ.સી.યુ માટે 75 લાખનું અનુદાન આપવામાં આવ્યું હતું જ્યારે ક્રાઇશો હોટેલ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા દર્દીઓની સેવા માટે રૂપિયા ૧૧ લાખનું અનુદાન આપવામાં આવ્યું હતું.આ અનુદાન સ્વીકારના કાર્યક્રમમાં એસ્કે આયોડિન પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર સુનિલ શારદાજી,પરેશ રાવલ,એ.આઈ.ડી.એસના જનરલ મેનેજર ડો.નીનાંદ ઝાલા તેમજ હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડો. આત્મી ડેલીવાલા અને સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

Next Story