Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર: હોટલ સંચાલકોએ પનીરની સબ્જી બાબતે થયેલ માથાકુટમાં ગ્રાહકને માર મારી હત્યા કરતા ચકચાર

અંકલેશ્વરના અંદાડા ગામમાં આવેલ કન્યાશાળા પાસે શ્રી સાંઈરામ હોટલના બે સંચાલકોએ પનીરની સબ્જી નહિ આપી ચાર યુવાનો સાથે માથાકૂટ કરી ધિક્કા પાટુનો માર મારી એક યુવાનને મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી જવા પામી છે.

X

અંકલેશ્વરના અંદાડા ગામમાં આવેલ કન્યાશાળા પાસે શ્રી સાંઈરામ હોટલના બે સંચાલકોએ પનીરની સબ્જી નહિ આપી ચાર યુવાનો સાથે માથાકૂટ કરી ધિક્કા પાટુનો માર મારી એક યુવાનને મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી જવા પામી છે.

અંકલેશ્વરના અંદાડા ગામમાં આવેલ મસ્જિદ ફળિયામાં રહેતી મોંગીબેન હીરાભાઈ વસાવાના ભાણેજ ઉપેન્દ્ર વસાવાના પુત્ર અંકિત વસાવાના ઘરેથી અનિકેત નામના યુવાનને 500 રૂપિયા આપી અંદાડા ગામમાં આવેલ કન્યાશાળા પાસે શ્રી સાંઈરામ હોટલ ખાતે પનીર સબ્જી લેવા મોકલ્યો હતો જ્યાં હોટલના સંચાલકોએ તેને પનીર સબ્જી આપવાનું ના કહેતા અંકિત વસાવા અને અનિકેત સાથે ફરી સબ્જી લેવા ગયા હતા તે વેળા હોટલ સંચાલકો વચ્ચે બોલાચાલી કરી હતી જે બાદ મંગીબેન વસાવાની બહેનનો પુત્ર 21 વર્ષીય અરુણ પ્રવીણ વસાવા,વિજય વસાવા અને ધર્મેશ વસાવા સહિત ચારેય જણા ત્યાં ગયા હતા અને હોટલના સંચાલકો કૈલાશ યાદવ અને રાધેશ્યામ યાદવને પનીરની સબ્જી કેમ આપી નહીં તેમ કહેતા જ જલ્લાડ બનેલા બંને ઈસમોએ ચારેય યુવાનો ઉપર તૂટી પડ્યા હતા અને અરુણ વસાવાને ધિક્કા પાટુ વડે મૂઢ માર માર્યો હતો.જેને પગલે અરુણ વસાવા હોટલની બહાર નીકળતા જ ઢળી પડી બેભાન થઈ જતા તેને તેના સંબંધીઓએ રિક્ષામાં સારવાર માટે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં હાજર તબીબે તેને તપાસી મૃત જાહેર કર્યો હતો.બનાવ અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે હોટલ સંચાલકો સામે હત્યા અંગેનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Next Story