અંકલેશ્વર: મુમતાઝ પટેલ સાથે મારી ટેલિફોનિક વાત થઈ છે, જુઓ પછી શું કહ્યું ચૈતર વસાવાએ

યાત્રાનું પ્રથમ પ્રસ્થાન ઝઘડિયાના ગુમાનદેવ મંદિર ખાતેથી થયું હતું ત્યારબાદ વાલીયા તાલુકાના વિવિધ ગામોમાં ફરી યાત્રા અંકલેશ્વર ખાતે પહોંચી

New Update
અંકલેશ્વર: મુમતાઝ પટેલ સાથે મારી ટેલિફોનિક વાત થઈ છે, જુઓ પછી શું કહ્યું ચૈતર વસાવાએ

આમ આદમી પાર્ટીની સ્વાભિમાન યાત્રા

અંકલેશ્વરમાં યાત્રાનું ભ્રમણ

ચૈતર વસાવાને ફુલહાર પહેરાવી આવકાર અપાયો

કોંગ્રેસની નારાજગી અંગે ચૈતર વસાવાનું નિવેદન

મુમતાઝ પટેલ સાથે ટેલિફોનિક વાત થઈ છે: ચૈતર વસાવા

અંકલેશ્વરના ગડખોલ ખાતેથી આમ આદમી પાર્ટીના લોક સભાના ઉમેદવાર ચૈતર વસાવાની આગેવાનીમાં નીકળેલ સ્વાભિમાન યાત્રા તાલુકાના વિવિધ ગામોમાં ફરી હતી. લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને આમ આદમી પાર્ટી દ્વારા સ્વાભિમાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.આ યાત્રાનું પ્રથમ પ્રસ્થાન ઝઘડિયાના ગુમાનદેવ મંદિર ખાતેથી થયું હતું ત્યારબાદ વાલીયા તાલુકાના વિવિધ ગામોમાં ફરી યાત્રા અંકલેશ્વર ખાતે પહોંચી હતી.

અંકલેશ્વરના ગડખોલ પાટીયા ખાતે યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ યાત્રા વિવિધ વિસ્તારો તેમજ ગામોમાં ફરી હતી.આ દરમિયાન ભરૂચ લોકસભા બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવાને લોકોએ ફૂલહાર પહેરાવી તેમનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે ચૈતર વસવાએ જણાવ્યું હતું કે તેઓને ભરૂચ લોકસભા બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે

ત્યારબાદ કોંગ્રેસના આગેવાનોની નારાજગી સામે આવી હતી આ દરમિયાન તેઓની મરહુમ સાંસદ અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ સાથે ટેલિફોનિક વાતચીત થઈ હતી અને નજીકના દિવસોમાં તેમની સાથે બેઠક કરી સાથે બેઠક પણ કરવામાં આવશે

Read the Next Article

અંકલેશ્વર : ઉદ્યોગ મંડળના પ્રતિષ્ઠા ભર્યા ચૂંટણી જંગમાં 86.63 ટકા નોંધાયું મતદાન,20 ઉમેદવારોના ભાવિ મતપેટીમાં બંધ

અંકલેશ્વર ઉદ્યોગ મંડળની મેનેજીંગ કમિટી માટેની ચૂંટણી ઉત્તેજનાસભર માહોલમાં શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી.આ ચૂંટણીમાં 86.63 ટકા મતદાન નોંધાયું હતું.

New Update
  • AIAની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન

  • 1057 મતદારોએ કર્યો મતાધિકારનો ઉપયોગ

  • 86.63 ટકા નોંધાઈ મતદાનની ટકાવારી

  • ઉમેદવારોના ભાવિ થયા મતપેટીમાં સીલ

  • સહયોગ કે વિકાસ રાતે આવશે પરિણામ  

અંકલેશ્વર ઉદ્યોગ મંડળની મેનેજીંગ કમિટી માટેની ચૂંટણી ઉત્તેજનાસભર માહોલમાં શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી.આ ચૂંટણીમાં 86.63 ટકા મતદાન નોંધાયું હતું.સહયોગ અને વિકાસ પેનેલના ઉમેદવારોએ પોતાની જીતના દાવા કર્યા હતા.

અંકલેશ્વરના ઉદ્યોગનગરના માળખાની દેખરેખ રાખતા ઉદ્યોગ મંડળનો ચૂંટણીનો જંગ તારીખ 20મી જૂન શુક્રવારના રોજ બપોરના ત્રણ કલાકે સંપન્ન થયો હતો.આ ચૂંટણીમાં કોર્પોરેટ,રિઝર્વ અને જનરલ કેટેગરી માટે ચૂંટણીમાં મતદારોએ મતદાન કર્યું હતું.AIA ચૂંટણીમાં કુલ 1229 મતદારો નોંધાયા છે,જેમાંથી 1057 મતદારોએ મતાધિકારનો ઉપયોગ સાથે 86.63 ટકા મતદાન નોંધાયું હતું.અને ઉમેદવારોના ભાવિ મતપેટીમાં સીલ થયા હતા.

આજરોજ સાંજના 4 કલાક બાદ મત ગણતરીની શરૂઆત કરવામાં આવશે,અને મધ્યરાત્રિ સુધીમાં ચૂંટણીમાં કઈ પેનલનો સંઘ કાશીએ પહોંચશે તે સ્પષ્ટ થઇ જશે.

ઉદ્યોગ મંડળમાં સત્તારૂઢ સહયોગની સામે વિકાસ પેનલનો મુકાબલો રસપ્રદ બની રહેશે. કોર્પોરેટની એક બેઠક માટે 2 , રિઝર્વ કેટેગરીની એક બેઠક માટે 2 અને જનરલની 8 બેઠક પર 16 ઉમેદવાર મેદાનમાં છે. સત્તા મેળવવા માટે 15 બેઠક જરૂરી છે.

AIA સંકુલ ખાતે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પ્રક્રિયા યોજાઇ હતી.હવે જોવાનું એ રહ્યું કે સત્તારૂઢ સહયોગ પેનલને ઉમેદવારોનો સહયોગ મળશે કે વિકાસ પેનલના મજબૂત દાવેદારી પર મતદારો પસંદગીનો કળશ ધોળે છે.

Latest Stories