/connect-gujarat/media/post_banners/c40d3bd3b3712e5cc5d3c2b1b7ac135d767526c8e64ef4687bd54cba40556f91.webp)
અંકલેશ્વર રાજપીપળા રોડ પર સારંગપુર ગામની પદ્માવતી સોસાયટીમાં પરપ્રાંતીય યુવાને અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે
અંકલેશ્વર રાજપીપળા રોડ પર સારંગપુર ગામની પદ્માવતી સોસાયટીમાં રહેતા પરપ્રાંતીય યુવાન તેના ઘરમાં એકલો હતો તે દરમિયાન તેણે અગમ્ય કારણોસર ઘરની છતની એંગલમાં દુપટ્ટા વડે ગળે ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો આ અંગેની જાણ જી.આઈ.ડી.સી પોલીસ મથકે કરતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહને નીચે ઉતારી પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.અત્રે ઉલ્લેખનીય છેકે મૃતક યુવાન મધ્ય પ્રદેશનો ગંગા પ્રસાદ યાદવ હોવાનું જાણવા મળ્યું છે.