Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : અંદાડા ગામની તુલસીવિલા સોસાયટીમાં ચોરી, દાગીના-રોકડ રકમ લઈ તસ્કરો થયા ફરાર...

તસ્કરો મકાનમાં રહેલ સોનાના ઘરેણાં સહિત રોકડ રકમ લઈ ફરાર થઈ ગયા હતા

X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના અંદાડા ગામે આવેલ તુલસીવિલા સોસાયટીના 2 મકાનોમાં ચોરીનો બનાવ સામે આવતા પોલીસ દ્વારા નાઈટ પેટ્રોલીંગના સમયમાં વધારો કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. ભરૂચ જિલ્લામાં તસ્કરોનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો હોય તેમ પોલીસના ડર વિના એક બાદ એક ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે અંકલેશ્વર શહેરની અલગ અલગ સોસાયટીઓમાંથી પણ અગાઉ ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે.

તેવામાં અંકલેશ્વરના અંદાડા ગામે તુલસીવિલાના 2 મકાનોમાં ચોરીનો બનાવ બન્યો છે, જ્યારે એક મકાનમાં તાળુ તોડવામાં તસ્કરો નિષ્ફળ રહ્યા હતા. તુલસીવીલા ખાતે રહેતો પરિવાર ઘરની અગાસી પર નિંદર માણી રહ્યો હતો, ત્યારે બંધ મકાનનો લાભ ઉઠાવી તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હતો. જેમાં તસ્કરો મકાનમાં રહેલ સોનાના ઘરેણાં સહિત રોકડ રકમ લઈ ફરાર થઈ ગયા હતા, ત્યારે હાલ તો પોલીસ દ્વારા નાઈટ પેટ્રોલીંગના સમયમાં વધારો કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે.

Next Story