અંકલેશ્વર: ઇકો કારમાંથી સાયલન્સરની ચોરીના વધતા બનાવ,પોલીસે તપાસ શરૂ કરી

ગડખોલ ગામના સિદ્ધેશ્વરી શોપિંગ સેન્ટરની સામે ખુલ્લામાં પાર્ક કરેલ ઇક્કો કારમાંથી ૨૫ હજારના મુદ્દામાલનું નવું સાઈલેન્સરની ચોરી કરી વાહન ચોરો ફરાર થઇ ગયા હતા

New Update
અંકલેશ્વર: ઇકો કારમાંથી સાયલન્સરની ચોરીના વધતા બનાવ,પોલીસે તપાસ શરૂ કરી

અંકલેશ્વરના ગડખોલ ગામના સિદ્ધેશ્વરી શોપિંગ સેન્ટરની સામે ખુલ્લામાં પાર્ક કરેલ ઇક્કો કારમાંથી ૨૫ હજારના મુદ્દામાલનું નવું સાઈલેન્સરની ચોરી કરી વાહન ચોરો ફરાર થઇ ગયા હતા

Advertisment

અંકલેશ્વરના ગડખોલ ગામના સિદ્ધેશ્વરી સોસાયટીમાં રહેતા રણવીરસિંહ ભુપેન્દ્રસિંહ રાજએ પોતાની ઇક્કો કાર નંબર-જી.જે.૧૬.સી.એસ.૭૫૧૫ ગત તારીખ-૫મી ફેબ્રુઆરીના રોજ રાતે સિદ્ધેશ્વરી શોપિંગ સેન્ટરની સામે ખુલ્લામાં પાર્ક કરી પોતાના ઘરે ગયા હતા તે દરમિયાન વાહન ચોરો ત્રાટકી તેઓની કારમાં રહેલ નવું સાઈલેન્સર બદલી તેના બદલે જુનું સાઈલેન્સર ફીટ કરી રૂપિયા ૨૫ હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા ચોરી અંગે અંકલેશ્વર બી ડીવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ તરફ અંકલેશ્વર શહેરમાં આવેલ આમ્રપાલી સોસાયટી સ્થિત શિવ એપાર્ટમેન્ટમાં રહેતા ચાંદમલ સુરજમલ ગુર્જરએ ગત તારીખ-૭મી ફેબ્રુઆરીના રોજ પોતાની ઇક્કો કાર નંબર-જી.જે.૧૬.સી.બી.૧૫૪૭ પોતાના એપાર્ટમેન્ટ નીચે પાર્ક કરી હતી તે દરમિયાન વાહન ચોરો ત્રાટકી તેઓની કારમાં રહેલ નવું સાઈલેન્સર બદલી તેના બદલે જુનું સાઈલેન્સર ફીટ કરી રૂપિયા ૨૫ હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા ચોરી અંગે અંકલેશ્વર એ ડીવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Advertisment
Read the Next Article

ભરૂચ: NTPC ઝનોર અને અંકલેશ્વરના CISF યુનિટ પર દુશ્મન દેશનો હુમલો થતા અનેક જવાન ઘાયલ, અંતે મોકડ્રિલ જાહેર કરાય

ભરૂચ જિલ્લામાં ઝનોર નજીક આવેલા એન.ટી.પી.સી એકમમાં સાંજના ૦૫:૦૦ વાગ્યાના અરસામાં એર સ્ટ્રાઈક થતા ભાગદોડ થઈ હતી. આપાતકાલીન પરિસ્થિતિનો સાયરન વાગતા એન.ટી.પી.સી

New Update
સી.આઈ.એસ.એફ યુનીટ અંકલેશ્વર  (4)
ભરૂચ જિલ્લામાં ઝનોર નજીક આવેલા એન.ટી.પી.સી એકમમાં સાંજના ૦૫:૦૦ વાગ્યાના અરસામાં એર સ્ટ્રાઈક થતા ભાગદોડ થઈ હતી. આપાતકાલીન પરિસ્થિતિનો સાયરન વાગતા એન.ટી.પી.સી એકમના કર્મચારીઓ સચેત થઈ તાત્કાલિક ધોરણે એકમની બહાર નીકળી ગયા હતા. સિવિલ ડિફેન્સની વિવિધ આપાતકાલીની સેવાઓના કર્મચારીઓ યુદ્ધના ધોરણે સ્થળ પર પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. અંતે વહીવટી તંત્ર દ્વારા સમગ્ર ગતિવિધિ મોકડ્રીલ જાહેર કરાતા સૌએ હાશકારો અનુભવ્યો હતો.  આ મોકડ્રીલ વખતે સિવિલ ડિફેન્સની આરોગ્ય, ફાયર, પોલીસ અને સહિતની મહત્વની ૧૨ સેવાઓ, સી.આઈ.એસ.એફના જવાનો, સિવિલ ડિફેન્સના વોલેન્ટીયર્સ, જી.આર.ડી.ના જવાનો હાજર રહ્યા હતા.
Advertisment
આ તરફ અંકલેશ્વર સ્થિત સી.આઈ.એસ.એફ યુનીટ પર ઓપરેશન શિલ્ડ અંતર્ગત મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંકલેશ્વર સી.આઈ.એસ.એફ યુનીટ ખાતે દુશ્મન તરફથી હુમલો થયો હતો. જેની સાંજે પાંચ કલાકે જિલ્લા કંટ્રોલરૂમ તથા પોલીસ કંટ્રોલરૂમ ખાતે જાણકારી મળી હતી. સૂચના મળતા જ જિલ્લાના વિવિધ વિભાગો સ્થિતિ પર કાબુ મેળવવા સી.આઈ.એસ.એફ યુનીટ સ્થળ પર પહોંચ્યા હતા. અને સામાન્ય ઇજા પામેલા ૨૫ જેટલા જવાનોને બચાવી સારવાર અપાઈ હતી. જ્યારે ૫ જેટલા વધુ ઈજાગ્રસ્તોને સારવાર આપવા તબીબી ટીમ સાથે ૩૦ યુનિટ રક્તની જરૂરીયાત ઉભી થતા યુધ્ધના ધોરણે મદદ પહોચાડી હતી. 
Advertisment
Latest Stories