અંકલેશ્વર: જે બી મોદી કેન્સર સેન્ટર દ્વારા સર્વ મંગલ ઉદ્યાન વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો

અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ સ્થિત જે બી મોદી કેન્સર સેન્ટર દ્વારા સર્વ મંગલ ઉદ્યાન વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો

New Update
અંકલેશ્વર: જે બી મોદી કેન્સર સેન્ટર દ્વારા સર્વ મંગલ ઉદ્યાન વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો

અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ સ્થિત જે બી મોદી કેન્સર સેન્ટર દ્વારા સર્વ મંગલ ઉદ્યાન વૃક્ષારોપણ સાથે એસ.પી.મોદી કુટુંબ,ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ અને બી.જી.પી. હેલ્થ કેર દ્વારા ૨.૨૫ કરોડનું અનુદાન અર્પણ કરાયું જીવનના આશાવાદી દ્રષ્ટિકોણ સાથે કેન્સરની સાથે લડાઈ આપી યોગ્ય સારવાર લઇ જીવનને સામાન્ય રીતે જીવી શકે તે માટે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ સ્થિત જે બી મોદી કેન્સર સેન્ટર દ્વારા સર્વ મંગલ ઉદ્યાન વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો

Advertisment

જેમાં કેન્સરના દર્દીઓ અને આમંત્રિત મહેમાનોના હસ્તે હોસ્પિટલના કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં એસ.પી.મોદી કુંટુબ ગઝાલા મોદી અને નીરવ મોદી દ્વારા ૨.૫ કરોડનું અનુદાન અર્પણ કરવામાં આવ્યું હતું જયારે ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝના રાકેશ અગ્રવાલ દ્વારા ૧૦ લાખ તો બી.જી.પી. હેલ્થ કેર કંપનીના જયેશ પટેલ દ્વારા ૧૦ લાખનનું અનુદાન અર્પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જે બી મોદી કેન્સર સેન્ટરના તબીબો અને સ્ટાફ તેમજ દર્દીઓ સહીત ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisment
Read the Next Article

અંકલેશ્વર : સ્માર્ટ મીટર લગાવ્યા બાદ DGVCL’એ રૂ. 6.29 લાખ બિલ પકડાવતા વીજ ગ્રાહકમાં આક્રોશ..!

DGVCL દ્વારા વીજ ગ્રાહકને મોબાઈલમાં મેસેજ મારફતે જે બિલ મોકલવામાં આવ્યું હતું. તે બિલની રકમ રૂ. 6.29 લાખ જોતાં જ મકાન માલિકના હોશ ઉડી ગયા....

New Update
  • ગુજરાતમાં DGVCL દ્વારા સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી

  • સ્માર્ટ મીટર સામે વિરોધના વંટોળ વચ્ચે વધુ એક ઘટના

  • રૂ. 6.29 લાખ વીજબિલ આવતા જ વીજ ગ્રાહકના હોશ ઉડ્યા

  • DGVCL કચેરીએ રજૂઆત કરતાં વીજ ગ્રાહકને કડવો અનુભવ

  • બિલ સિસ્ટમ દ્વારા બન્યું છેઅમારી કોઈ ભૂલ નથી : કર્મચારી 

Advertisment

ગુજરાત રાજ્યમાં DGVCL દ્વારા સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી સામે વિરોધના વંટોળ વચ્ચે ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાંથી વધુ વીજબિલ આવ્યું હોવાનો ચોંકાવાનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

 મળતી માહિતી અનુસારઅંક્લેશ્વર શહેરના સી માસ્ટર કમ્પાઉન્ડમાં રહેતા અને સામાન્ય પરિવારના પટેલ ઝુલેખા મોહમ્મદના મકાનમાં દક્ષિણ ગુજરાત વીજ નિગમ દ્વારા સ્માર્ટ મીટર બેસાડવામાં આવ્યું હતું. જોકેગતરોજ રાત્રીના સમયે DGVCL દ્વારા વીજ ગ્રાહકને મોબાઈલમાં મેસેજ મારફતે જે બિલ મોકલવામાં આવ્યું હતું. તે બિલની રકમ રૂ. 6.29 લાખ જોતાં જ મકાન માલિકના હોશ ઉડી ગયા હતા.

મકાન માલિકે જણાવ્યુ હતું કેઆટલી મોટી રકમ જોઈને મને એકદમ જ જણજણાટી પહોંચી હતી. ત્યારબાદ આજરોજ સવારે દક્ષિણ ગુજરાત વીજ નિગમ લિમિટેડની નવી કચેરી ખાતે પહોંચી આ મામલે રજૂઆત કરતા મહિલા અધિકારીએ જણાવ્યું હતું કેઆ બિલ સિસ્ટમ દ્વારા બનાવવામાં આવ્યું છેઅમારી કોઈ ભૂલ નથી. પરંતુ સિસ્ટમની ભૂલના કારણે આટલું મોટું બિલ સામાન્ય માણસને આવતા જ પ્રશ્નો ઉભો થાય છે કેસિસ્ટમ કામ કરે છે કેમાનવી કામ કરે છે. સમગ્ર ગુજરાતમાં સ્માર્ટ મીટરનો વિરોધ જોવા મળી રહ્યો છે. જે સંદર્ભમાં વધુ એકવાર આટલું મોટું બિલ આવતા લોકોમાં ગભરાટ ફેલાયો છે. જોકે, DGVCLની આવી ગંભીર ભૂલના કારણે માનવીય જીવન ઉપર ગંભીર અસર પહોંચી શકે છે.

Advertisment