Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર: જે બી મોદી કેન્સર સેન્ટર દ્વારા સર્વ મંગલ ઉદ્યાન વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો

અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ સ્થિત જે બી મોદી કેન્સર સેન્ટર દ્વારા સર્વ મંગલ ઉદ્યાન વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો

અંકલેશ્વર: જે બી મોદી કેન્સર સેન્ટર દ્વારા સર્વ મંગલ ઉદ્યાન વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો
X

અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ સ્થિત જે બી મોદી કેન્સર સેન્ટર દ્વારા સર્વ મંગલ ઉદ્યાન વૃક્ષારોપણ સાથે એસ.પી.મોદી કુટુંબ,ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ અને બી.જી.પી. હેલ્થ કેર દ્વારા ૨.૨૫ કરોડનું અનુદાન અર્પણ કરાયું જીવનના આશાવાદી દ્રષ્ટિકોણ સાથે કેન્સરની સાથે લડાઈ આપી યોગ્ય સારવાર લઇ જીવનને સામાન્ય રીતે જીવી શકે તે માટે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ સ્થિત જે બી મોદી કેન્સર સેન્ટર દ્વારા સર્વ મંગલ ઉદ્યાન વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો

જેમાં કેન્સરના દર્દીઓ અને આમંત્રિત મહેમાનોના હસ્તે હોસ્પિટલના કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં એસ.પી.મોદી કુંટુબ ગઝાલા મોદી અને નીરવ મોદી દ્વારા ૨.૫ કરોડનું અનુદાન અર્પણ કરવામાં આવ્યું હતું જયારે ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝના રાકેશ અગ્રવાલ દ્વારા ૧૦ લાખ તો બી.જી.પી. હેલ્થ કેર કંપનીના જયેશ પટેલ દ્વારા ૧૦ લાખનનું અનુદાન અર્પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જે બી મોદી કેન્સર સેન્ટરના તબીબો અને સ્ટાફ તેમજ દર્દીઓ સહીત ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story