અંકલેશ્વર: સાંસદ મનસુખ વસાવાએ ESIC હોસ્પિટલની લીધી મુલાકાત,દર્દીઓના પૂછ્યા ખબરઅંતર

ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ અંકલેશ્વર ખાતે ઈ.એસ.આઈ.સી. હોસ્પિટલની મુલાકાત લીધી હતી.

New Update
અંકલેશ્વર: સાંસદ મનસુખ વસાવાએ ESIC હોસ્પિટલની લીધી મુલાકાત,દર્દીઓના પૂછ્યા ખબરઅંતર

ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ અંકલેશ્વરની ઇ.એસ.આઈ.સી.હોસ્પિટલની મુલાકાત લઈ જરૂરી સાધન સુવિધાઓનું નિરિક્ષણ કર્યું હતું.

ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ અંકલેશ્વર ખાતે ઈ.એસ.આઈ.સી. હોસ્પિટલની મુલાકાત લીધી હતી.અંકલેશ્વર ખાતે 45000 કરતા વધારે ઇ.એસ.આઈ.સી. કાર્ડ ધરાવતા કર્મચારીઓ રહે છે અને દર મહિને 9000 જેટલા કર્મચારીઓ આ હોસ્પિટલની સેવાનો લાભ લે છે.મનસુખ વસાવાએ હોસ્પિટલના દર્દીઓ અને સ્ટાફ સાથે વાતચીત કરી હતી અને તેમને મળતી સુવિધાઓ વિશે જાણકારી મેળવી અને અન્ય કઈ સુવિધાઓની જરૂરિયાત જણાય છે કે કેમ તે અંગેની માહિતી પણ મેળવી હતી. આ દરમ્યાન હોસ્પિટલ ખાતે ચાલતા આયુર્વેદિક સપ્તાહ અંતર્ગત યોજાયેલ કાર્યક્રમમાં હાજરી આપી પણ આપી હતી. આ પ્રસંગે ભરૂચ જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિના ચેરમેન આરતીબેન પટેલ, અંકલેશ્વર નોટિફાઈડ ભાજપના પ્રમુખ જશુ ચૌધરી સહિતના આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

અંકલેશ્વર: કાપોદ્રા પાટીયા નજીક રોડ પરથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો, પોલીસ તપાસ શરૂ

અંકલેશ્વર વાલિયા રોડ પર કાપોદ્રા પાટીયા પાસે અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવતા પોલીસે કબજો મેળવી તપાસ શરૂ કરી છે.

New Update
aa

અંકલેશ્વર વાલિયા રોડ પર કાપોદ્રા પાટીયા પાસે અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવતા પોલીસે કબજો મેળવી તપાસ શરૂ કરી છે.

અંકલેશ્વર વાલિયા રોડ પર કાપોદ્રા પાટીયા પાસે એક વ્યક્તિનો મૃતદેહ હોવાની જાણ સ્થાનિકોને થઈ હતી આ અંગે તેઓએ જીઆઇડીસી પોલીસને જાણ કરતા જીઆઇડીસી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડયો હતો. મૃતકની ઉંમર ૩૫ વર્ષની હોવાનું જાણવા મળી રહ્યું છે. તેનું મોત કઈ રીતે નિપજ્યું જે સહિતની વિગતો મેળવવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.