અંકલેશ્વર: સાંસદ મનસુખ વસાવાએ ESIC હોસ્પિટલની લીધી મુલાકાત,દર્દીઓના પૂછ્યા ખબરઅંતર

ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ અંકલેશ્વર ખાતે ઈ.એસ.આઈ.સી. હોસ્પિટલની મુલાકાત લીધી હતી.

New Update
અંકલેશ્વર: સાંસદ મનસુખ વસાવાએ ESIC હોસ્પિટલની લીધી મુલાકાત,દર્દીઓના પૂછ્યા ખબરઅંતર

ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ અંકલેશ્વરની ઇ.એસ.આઈ.સી.હોસ્પિટલની મુલાકાત લઈ જરૂરી સાધન સુવિધાઓનું નિરિક્ષણ કર્યું હતું.

Advertisment

ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ અંકલેશ્વર ખાતે ઈ.એસ.આઈ.સી. હોસ્પિટલની મુલાકાત લીધી હતી.અંકલેશ્વર ખાતે 45000 કરતા વધારે ઇ.એસ.આઈ.સી. કાર્ડ ધરાવતા કર્મચારીઓ રહે છે અને દર મહિને 9000 જેટલા કર્મચારીઓ આ હોસ્પિટલની સેવાનો લાભ લે છે.મનસુખ વસાવાએ હોસ્પિટલના દર્દીઓ અને સ્ટાફ સાથે વાતચીત કરી હતી અને તેમને મળતી સુવિધાઓ વિશે જાણકારી મેળવી અને અન્ય કઈ સુવિધાઓની જરૂરિયાત જણાય છે કે કેમ તે અંગેની માહિતી પણ મેળવી હતી. આ દરમ્યાન હોસ્પિટલ ખાતે ચાલતા આયુર્વેદિક સપ્તાહ અંતર્ગત યોજાયેલ કાર્યક્રમમાં હાજરી આપી પણ આપી હતી. આ પ્રસંગે ભરૂચ જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિના ચેરમેન આરતીબેન પટેલ, અંકલેશ્વર નોટિફાઈડ ભાજપના પ્રમુખ જશુ ચૌધરી સહિતના આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisment
Read the Next Article

અંકલેશ્વર: NH 48 પર નિંદ્રા માણી રહેલ કારચાલકના રૂ.7.78 લાખના માલમત્તાની ચોરી, 4 આરોપીઓની પોલીસે કરી ધરપકડ

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર કારપાર કરી નિંદ્રા માણી રહેલા કારચાલકના રૂપિયા 7.78 લાખના મુદ્દામાલની ચોરી કરનાર ચાર આરોપીઓને પોલીસે ઝડપી પાડી

New Update

અંકલેશ્વરમાં બન્યો હતો બનાવ

Advertisment

NH 48 પરનો બનાવ

કારચાલકના માલમત્તાની થઈ હતી ચોરી

પોલીસે 4 આરોપીઓની કરી ધરપકડ

રૂ.7.78 લાખના માલમત્તાની કરી હતી ચોરી

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર કારપાર કરી નિંદ્રા માણી રહેલા કારચાલકના રૂપિયા 7.78 લાખના મુદ્દામાલની ચોરી કરનાર ચાર આરોપીઓને પોલીસે ઝડપી પાડી તેવો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Advertisment
 ગત 14 મી મે 2025ના રોજ નવસારીના બીલીમોરા ખાતે રહેતા અને વલસાડ સ્થિત બાલાજી વેફર્સના પ્લાન્ટમાં રહેતા સિનિયર ઓફિસર કલ્પેશ શાહ રાત્રીના ઊંઘ આવતી હોવાથી તેઓ નવજીવન હોટલ સામે સર્વિસ રોડ પર કાર પાર્ક કરી સુઈ ગયા હતા તે દરમિયાન તેમના પહેરેલા સોનાના દાગીના અને મોબાઇલ અને તેની એસેસરીઝ મળી રૂ.  7.78 લાખની ચોરી કરી અજાણ્યા ઈસમો ફરાર થઇ ગયા હતા.
આ અંગે ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ફરિયાદ નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસતા શંકાસ્પદ બાઈક ચાલક નજરે પડ્યો હતો.પોલીસે બાઈક નંબરના આધારે રોયલ રેસિડેન્સી ખાતે રહેતા ભંગારીયા અલ્તાફ ઉર્ફે મોનુ જાવેદ ખાન, સાંઈ દર્શન સોસાયટી ખાતે રહેતા ખેતલા આપા હોટલના  વિપુલ પુના ગમારા ,અંસાર માર્કેટ ખાતે રહેતા ભંગારના દલાલ નૂરઆલમ , બદરુદ્દીન મનીહાર,  અને ભંગાર વેપારીને ત્યાં ન્યુ ઇન્ડિયા માર્કેટમાં મજૂરી કામ કરતા જીકરાન ઉર્ફે જીકાન ઈમરાન કુરેશી ને ઝડપી પાડ્યા હતા અને તેમની ઉલટ તપાસ કરતા તેઓ ચોરીની કબૂલાત કરી હતી.પોલીસે ચોરીમાં ગયેલ મુદ્દામાલ મળી કુલ રૂપિયા 4.35 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Advertisment