અંકલેશ્વર: નગર સેવા સદનનું રૂ.92.60 કરોડનું બજેટ મંજુર,વિપક્ષે વધુ TDSના પાણીનો મુદ્દો ઉઠાવ્યો

અંકલેશ્વર નગર પાલિકાનું 92 કરોડ 60 લાખનું પુરાંતવાળું બજેટ સર્વાનુમંતે મજૂર કરવામાં આવ્યું હતું.

New Update
અંકલેશ્વર: નગર સેવા સદનનું રૂ.92.60 કરોડનું બજેટ મંજુર,વિપક્ષે વધુ TDSના પાણીનો મુદ્દો ઉઠાવ્યો

અંકલેશ્વર નગર પાલિકાનું 92 કરોડ 60 લાખનું પુરાંતવાળું બજેટ સર્વાનુમંતે મજૂર કરવામાં આવ્યું હતું.

લોકસભાની ચૂંટણી પહેલા અંકલેશ્વર નગર પાલિકા સભાખંડ ખાતે પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતની અધ્યક્ષતામાં ઓડિનરી વાર્ષિક બજેટની બોર્ડ મિટિંગ મળી હતી જેમાં 13 જેટલા કામો બોર્ડ પર મૂકવામાં આવ્યા હતા 92 કરોડનું બજેટ મૂકવામાં આવ્યું હતું જેને સર્વાનુમતે મંજુરી આપવામાં આવી હતી.વર્ષ-2023-24નું સુધારાનું બજેટ અને 2024-25નું અંદાજિત બજેટ તારીખ-16મી ફેબ્રુઆરીના રોજ કારોબારી સમિતિના ઠરાવ મુજબ મંજૂર કરવામાં આવેલ છે.અંકલેશ્વર પાલિકાના વર્ષ-2024-25ના અંદાજિત બજેટની ઉધડતી રકમ 19 કરોડ,43 લાખ 77 હજાર છે.જ્યારે વેરા,ગ્રાન્ટ અને ફ્રી તેમજ ભાડું મળી કુલ 73 કરોડ 15 લાખ 15 હજાર ઉમેરતા વર્ષ-2024-25ના 92 કરોડ 60 લાખ 92 હજાર થાય છે જેમાં કુલ ખર્ચ 92 કરોડ 4 લાખ 65 હજાર બાદ કરતાં 10 કરોડ 27 હજારનું પુરાતવાળું બજેટ સર્વાનુમતે મજૂર કરવામાં આવ્યું હતું

Read the Next Article

અંકલેશ્વરથી વાલિયા-નેત્રંગને જોડતા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, કોંગ્રેસે આંદોલનની ચીમકી ઉચ્ચારી

ભરૂચના નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે જવાબદાર એજન્સી સહિતના અધિકારીઓ સામે પગલાં ભરવા માંગ કરવામાં આવી છે.

New Update
  • અંકલેશ્વરથી નેત્રંગને જોડતા માર્ગની કામગીરી

  • રૂ.55 કરોડના ખર્ચે માર્ગનું થઈ રહ્યું છે નિર્માણ

  • માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ

  • કોંગ્રેસ દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચરાય

  • કોર્ટ કેસની પણ ચીમકી

ભરૂચના નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે જવાબદાર એજન્સી સહિતના અધિકારીઓ સામે પગલાં ભરવા માંગ કરવામાં આવી છે.
ભરૂચના વાલિયા તાલુકાના સહકારી આગેવાન અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપસિંહ માંગરોલા બાદ નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરી અધિકારીઓ અને કોન્ટ્રાકટરની મિલી ભગતથી હલકી ગુણવત્તાની કરવામાં આવતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.અંકલેશ્વર-વાલિયા અને નેત્રંગને જોડતો રાજ્ય ધોરીમાર્ગ નંબર-13 પ્રથમ વરસાદે જ બિસ્માર બન્યો છે.ઠેરઠેર ખાડાઓ અને માર્ગ તૂટી ગયો હોવાથી તેમાં યોગ્ય સામગ્રી વાપરવા નહીં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
ભરૂચ જિલ્લામાં મનરેગા કૌભાંડ સામે આવ્યું છે.તે રીતે 55 કરોડના ખર્ચે બની રહેલ નેત્રંગ-અંકલેશ્વર માર્ગમાં ભ્રષ્ટાચાર થયો હોવા સાથે અધિકારી,કોન્ટ્રાકટર સહિત લાગતા વળતા વિભાગના મંત્રીનો હાથ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.જો આ કામગીરી સારી ગુણવત્તાની નહીં કરવામાં આવે તો તાળાબંધીની ચીમકી ઉચ્ચારવામા આવી છે.અને  માર્ગનું નિર્માણ કરનાર શિવાલય ઈંફાસ્ટ્રક્ચર એજન્સી તેમજ અધિકારી સામે કોર્ટ કેસ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામા આવી છે.