અંકલેશ્વર: શ્વાનના ગલૂડિયા સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચારનાર નરાધમની પોલીસે કરી ધરપકડ!

અંકલેશ્વર જીઆઈડીમાં શ્વાનના ગલૂડિયા સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચારનાર વિકૃત મગજ ધરાવતા નરાધમની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

અંકલેશ્વર: શ્વાનના ગલૂડિયા સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચારનાર નરાધમની પોલીસે કરી ધરપકડ!
New Update

અંકલેશ્વર જીઆઈડીમાં શ્વાનના ગલૂડિયા સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચારનાર વિકૃત મગજ ધરાવતા નરાધમની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં એક અજાણ્યા ઈસમે શ્વાનના ગલૂડિયા સાથે અવાર-નવાર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હોવાની ઘટના સામે આવી છે. જેનો કોઇએ વીડિયો ઉતારીને અમદાવાદની એનિમલ વેલ્ફર સંસ્થાને જાણ કરી હતી. જેની ગંભીરતા લઈને સંસ્થાના પ્રમુખે અંકલેશ્વર GIDC પોલીસ મથકમાં અજાણ્યા ઈસમ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. આ ઘટનાની ગંભીરતા ધ્યાને રાખીને જો આ શખ્સ ગલૂડિયાં જોડે આવું કૃત્ય કરતો હોય તો દીકરી કેવી રીતે સુરક્ષિત રહી શકશે. આવા માનસિક વિકૃત ઈસમો સામે કડકમાં કડક કાર્યવાહી કરવા સંસ્થાના પ્રમુખ દીપા જોષીએ અને તેમના સાથી સભ્યો સાથે અંકલેશ્વર ખાતે દોડી આવ્યા હતા.

આ સમગ્ર મામલે સંસ્થાએ અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસ દ્વારા વીડિયો પુરાવાના આધારે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડના ચક્રોગતિમાન કર્યા હતા. પોલીસ ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

#Gujarat #Ankleshwar #GujaratConnect #police #accused #crime #act against nature #Beyond Just News
Here are a few more articles:
Read the Next Article