Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : જૂના દીવા ગામે પુત્રીના ઘરે આવેલા વૃદ્ધની હત્યા, લૂંટના ઇરાદે હત્યાનું અનુમાન..!

હત્યારાઓનું પગેરું મેળવવાની તજવીજ હાથ ધરી છે, ત્યારે હાલ તો લૂંટના ઇરાદે વૃદ્ધની હત્યા કરાય હોવાનું પ્રાથમિક અનુમાન સેવાઇ રહ્યું છે

X

અંકલેશ્વરના જુના દીવા ગામનો બનાવ

પુત્રીના ઘરે રહેવા આવેલ વૃદ્ધની હત્યા

લૂંટના ઇરાદે હત્યા કરાય હોવાનું અનુમાન

જિલ્લા પોલીસ વડા ઘટના સ્થળે પહોચ્યા

એ’ ડિવિઝન પોલીસે વધુ તપાસ શરૂ કરી

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના જૂના દીવા ગામના વસી ફળિયામાં પુત્રી-જમાઈના ઘરે રહેવા આવેલ 72 વર્ષીય વૃદ્ધની કરપીણ હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના જૂના દીવા ગામના વસી ફળિયામાં પોતાની પુત્રીના ઘરે રહેવા આવેલ 72 વર્ષીય યાકુબ મહમંદ જીણા ઘરમાં એકલા હતા, તે દરમિયાન અજાણ્યા ઇસમો વૃદ્ધની હત્યા કરી ફરાર થઈ ગયા હતા. હત્યા અંગેની જાણ થતાં જ ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા, અંકલેશ્વર ડીવાયએસપી ડો. કુશલ ઓઝા સહિત પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો.

આ સાથે જ પોલીસે ડોગ સ્કોર્ડની મદદ વડે હત્યારાઓનું પગેરું મેળવવાની તજવીજ હાથ ધરી છે, ત્યારે હાલ તો લૂંટના ઇરાદે વૃદ્ધની હત્યા કરાય હોવાનું પ્રાથમિક અનુમાન સેવાઇ રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પુત્રી-જમાઈ બહાર ગયા હોવાથી વૃદ્ધ ઘરમાં એકલા હતા, તે દરમિયાન હત્યા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

Next Story