Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : ચૈત્ર માસ નિમિત્તે પૌરાણિક તીર્થધામ રામકુંડ ખાતે સંગીતમય શ્રી રામ ચરિત્ર માનસ કથાનો પ્રારંભ કરાયો...

આ કથાનું બાલ સંતશ્રી પ્રિયાંશુ મહારાજ સંગીતમય રસાળ શૈલી રસપાન કરાવી રહ્યા છે,

X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના પૌરાણિક તીર્થધામ રામકુંડ ખાતે ચૈત્ર માસ નિમિત્તે સંગીતમય શ્રી રામ ચરિત્ર માનસ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો શુભારંભ તીર્થધામ રામકુંડના મહંત ગંગા દાસજી બાપુ સહિતના મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યો છે.

આજે ચૈત્ર નવરાત્રિના પ્રારંભે મંગળવારના રોજથી શરૂ થનાર કથા રામનવમી સુધી ચાલશે. આ કથાનું બાલ સંતશ્રી પ્રિયાંશુ મહારાજ સંગીતમય રસાળ શૈલી રસપાન કરાવી રહ્યા છે, ત્યારે સંગીતમય શ્રી રામ ચરિત્ર માનસ કથાનું મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા લાભ લે તે માટે તીર્થધામ રામકુંડના મહંત દ્વારા જાહેર આમંત્રણ પાઠવાયું છે.

Next Story